________________
૪૦
0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આત્મા જાય છે ત્યાં ત્યાં તેની સાથે બંધાયેલાં કર્મો પણ જાય છે. કર્મ સાથે આવો વિશિષ્ટ પ્રકારનો સંબંધ કરવાની યોગ્યતાને જ સહજમલ કહેવાય છે.
આ સહજમલ અનાદિકાળથી જીવમાં હોય છે, તો પણ ભવ્યત્વની જેમ સાધના દ્વારા આ યોગ્યતાનો પણ જીવ નાશ કરી શકે છે. તે દૃષ્ટાંતથી બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે જેમ સિદ્ધના જીવોએ અનાદિકાલીન કર્મબંધની યોગ્યતાનો અર્થાત્ સહજમલનો નાશ કર્યો તેમ સહજમલનો અભાવ થઈ શકે છે.
સહજમલનો અભાવ થઈ શકે છે એ વિષયમાં સિદ્ધોનું દષ્ટાંત તો આપ્યું, પરંતુ સિદ્ધના જીવો પ્રત્યક્ષથી દેખાતા નથી. તેથી કહ્યું છે કે આભાવનાગમ્ય એવું આ સિદ્ધોનું દૃષ્ટાંત છે. આભાવનાગમ્ય દૃષ્ટાંત એટલે ચારે બાજુથી શાસ્ત્રનું ભાવન કરીને જણાય એવું આ દૃષ્ટાંત છે. તાત્પર્ય એ છે કે અગ્નિના અનુમાનમાં મહાનસનું દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાય છે તેમ સિદ્ધોનું દષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું નથી, તેમ છતાં બધા મોક્ષવાદીઓ સાધનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ માને છે, એટલે આતના વચનના પ્રમાણથી મોક્ષ ઘટે છે. હવે જો મોક્ષ ઘટે છે તો એ માનવું જ પડે કે કર્મબંધની યોગ્યતાનો નાશ થયો છે. તેથી શાસ્ત્રના આધારે મોક્ષપદાર્થની વિચારણા કરવામાં આવે તો જણાય કે જેમ સિદ્ધોમાં સહજમલનો અભાવ થયો છે તેમ સહજમલનો અભાવ થઈ શકે છે.ર-૧ણા
અવતરણિકા :
પહેલી ગાથામાં કહ્યું કે પંચાસ્તિકાયમય આ લોક અનાદિ છે, એમાં આગમવચન પ્રમાણ છે. પાંચમી ગાથામાં સ્થાપન કર્યું કે લોકવર્તી પાંચે અસ્તિકાયોને આદિમાન ન સ્વીકારી શકાય, અને છઠ્ઠી ગાથામાં આ પાંચે પદાર્થો પરમપુરુષથી ઉત્પન્ન કરાયેલા નથી એમ સ્થાપન કર્યું. તેથી એ પ્રાપ્ત થયું કે પંચાસ્તિકાયમય આ લોક આગમવચનના બળથી અનાદિ છે. આ રીતે તૈયાયિકઆદિ ઇશ્વરકર્તુત્વવાદીઓની માન્યતા છે કે લોક ઇશ્વરકૃત છે તેનું નિરાકરણ કરીને હવે નૈયાયિકઆદિ લોકને પૂર્વે અભાવરૂપે માને છે, તેનું પણ યુક્તિથી નિરાકરણ કરીને લોકને અનાદિ માનવો ઉચિત છે તે સ્થાપન કરે
इय असदेवाणाइयमग्गे तम आसि एवमाई वि । भेयगविरहे वइचित्तजोगओ होइ पडिसिद्धं ॥१८॥ एतदसदेवानादिकमग्रे तम आसीदेवमाद्यपि । भेदकविरहे वैचित्र्ययोगतो भवति प्रतिषिद्धम् ॥१८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org