________________
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
૩૮
અનાદિવિશિકા / અન્વયાર્થ :
પર્વ વેવ એ પ્રકારે જ=પંદરમી ગાથામાં કહ્યું કે ભવ્યત્વ તથાસ્વભાવથી અકૃતક અને અનિત્ય છે, એ પ્રકારે જ મુ9વાર્દ મોક્ષવાદીઓ વડે સદનમસ્તસર્વત્રં સહજમલશબ્દવાચ્ય વિવિઠ્ઠી દિદક્ષા, મવવીનં ભવબીજ, વાસUT વાસના અને વિMા ય અવિદ્યા વન્નિન્નડું વર્ણન કરાય છે.
ગાથાર્થ :
- પંદરમી ગાથામાં કહ્યું કે ભવ્યત્વ તથાસ્વભાવથી અકૃતિક અને અનિત્ય છે, એ પ્રકારે જ મોક્ષવાદીઓ વડે સહજમલશબ્દવાચ્ય દિદક્ષા, ભવબીજવાસના અને અવિદ્યા વર્ણન કરાય છે.
ભાવાર્થ :
અનાદિકાળથી કર્મબન્ધની યોગ્યતારૂપ જીવમાં જે મળે છે તે સહજમલ કહેવાય છે અને તેને જ અન્યદર્શનવાળા કેટલાક દિદક્ષા કહે છે, કેટલાક ભવબીજ કહે છે, કેટલાક વાસના કહે છે અને કેટલાક અવિદ્યા કહે છે. અને તે સહજમલ જીવમાં અનાદિકાળથી છે અને સાધના દ્વારા તેનો વિનાશ થાય છે તેથી તે અનિત્ય છે, તેમ મોક્ષવાદીઓ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ અનાદિ-સાંત છે, તેમ કર્મબન્ધની યોગ્યતા પણ અનાદિ સાંત છે અને કર્મબંધની યોગ્યતાને જુદા જુદા શબ્દો દ્વારા સ્વીકારીને મોક્ષવાદીઓ અનાદિસાંત માને છે. રિ૧૬ll
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં સહજમલ ભવ્યત્વ જેવું જ અનાદિસત છે તેમ બતાવ્યું. હવે તે સહજમલનું સ્વરૂપ શું છે અને ભવ્યત્વની જેમ સહજમલનો અભાવ કઈ રીતે થાય છે તેમાં દષ્ટાંત બતાવે છે
एयं पुण तह कम्मेयराणुसंबंधजोगयारूवं । एतदभावे णायं सिद्धाणाभावणागम्मं ॥१७॥ एतत्पुनस्तथा कर्मेतरानुसंबन्धयोग्यतारूपम् । एतदभावे ज्ञातं सिद्धानामाभावनागम्यम् ॥१७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org