SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 38 અનાદિવિશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : ભગવાન અનાદિમાન જ છે અને શુદ્ધ છે એવું માનીએ તો તે કારણથી અનાદિશુદ્ધ એ પ્રમાણે પ્રવાહથી જ ઘટે છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનો અને વ્યક્તિની અપેક્ષાએ અનાદિમુદ્ધ માનો તો સમ્યગુ શુદ્ધતા નથી. ભાવાર્થ સંસારમાં સંસારી જીવો જેમ વ્યક્તિથી અનાદિ છે, તેમ ભગવાન પણ વ્યક્તિથી અનાદિ હોવા છતાં વ્યક્તિથી અનાદિશુદ્ધ સ્વીકારી શકાય નહીં, કેમ કે શુદ્ધ શબ્દ જ પૂર્વની અશુદ્ધતા બતાવે છે. અશુદ્ધ જ પ્રયત્નથી શુદ્ધ બને છે. પરંતુ જે અશુદ્ધ જ ન હોય તે શુદ્ધ છે તેમ ન કહેવાય, પરંતુ જેવા સ્વરૂપવાળો હોય તેવા સ્વરૂપવાળો કહી શકાય. તેથી ભગવાન અનાદિ છે અને શુદ્ધ છે તેમ સ્વીકારીએ તો પ્રવાહની અપેક્ષાએ જ અનાદિશુદ્ધતા સ્વીકારી શકાય. અને એમ ન સ્વીકારીએ તો તેની શુદ્ધતા સમ્યમ્ નથી એમ જ માનવું પડે. આનાથી એ પ્રાપ્ત થયું કે વ્યક્તિગત કોઇ અનાદિશુદ્ધ નથી અને કોઇ સિદ્ધ આત્મા પ્રથમ નથી, પરંતુ જેમ કાળ અનાદિ છે તેમ સિદ્ધાત્માનો પ્રવાહ પણ પ્રારંભરહિત અનાદિનો છે.ll૨-૧રા અવતરણિકા : આ રીતે પ્રવાહથી ઇશ્વરને અનાદિશુદ્ધ કહીને, કર્મબંધ પણ તેવો જ છે તે બતાવવા અર્થે કહે છે बंधो वि हु एवं चिय अणाइमं होइ हंत कयगो वि । इहरा उ अकयगत्तं निच्चत्तं चेव एयस्स ॥१३॥ बन्धोपि खल्वेवमेवमनादिमान्भवति हन्त कृतकोपि । इतरथा त्वकृतकत्वं नित्यत्वं चैवैतस्य ॥१३।। અન્વયાર્થ: વં આ પ્રમાણે=પ્રવાહની અપેક્ષાએ જેમ ભગવાન અનાદિશુદ્ધ છે એ પ્રમાણે વંથો વિ ટુ બંધ પણ ખરેખર યો વિ કૃતક હોવા છતાં પણ વિય મારૂબં દો અનાદિમાન જ થાય છે. રૂ ૩ અન્ય પ્રકારે=પ્રવાહની અપેક્ષાએ અનાદિ ન માનો તો વળી ય આનું બંધનું અ ત્ત નિāત્ત વેવ અકૃતકપણું અને નિત્યપણું જ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy