________________
7 અનાદિવિંશિકા જી
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૩૨
છે, અને તેથી જ પુણ્યબંધ કે પાપબંધરૂપ ગુણ કે દોષની પ્રાપ્તિ ભગવાનને નથી થતી. આનાથી એ ફલિત થયું કે ભગવાનની સ્તુતિ કે નિંદાથી ભગવાન પ્રસન્ન કે અપ્રસન્ન થઇને ફળ આપતા નથી, પણ સ્તુતિ કે નિંદા કરનારને સ્વપરિણામથી જ ફળ મળે છે, માટે જ ભગવાન ભક્તિપાત્ર છે; અને જેમ સ્તુતિ કે નિંદાનાં ફળ આપવામાં ભગવાન પ્રવૃત્ત નથી તેમ લોકના ભાવ કે અભાવ કરવામાં પણ ભગવાન પ્રવૃત્ત નથી માટે લોક અનાદિ જ માનવો ઉચિત છે.
આ રીતે શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાનને અનાશયનિમિત્તભાવવાળા કહ્યા. આવું સાંભળીને કોઇને જિજ્ઞાસા થાય કે ભગવાનનું સ્વરૂપ કેવું હશે? આવી જિજ્ઞાસાને સંતોષવા શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાનનું સ્વરૂપ બતાવે છે.
ભગવાન આત્મસ્વરૂપમય ચેતનરૂપ છે. સંસારી જીવો પણ ચેતનરૂપ તો છે જ પરંતુ તેઓ પુદ્ગલમય ચેતનસ્વરૂપ છે, જ્યારે ભગવાન એવા પુદ્ગલમય નથી, પરંતુ તન્મય છે, અર્થાત્ સ્વરૂપમય છે. ભગવાન પોતાના સ્વરૂપમાં જ વર્તતા હોય છે પણ બીજા માટે અનાશયનિમિત્ત થવાના સ્વભાવવાળા તો છે જ, તે બતાવવા માટે ‘તથાસ્વભાવ’ ભગવાન છે એમ કહ્યું છે.IIર-૧૦]
અવતરણિકા :
અહીં કોઇને શંકા થાય કે ભગવાન ગુણવાળા છે, તેથી તેમનું નિમિત્ત કરીને તેમની કોઇ ભક્તિ કરે તો તે ગુણપ્રાપ્તિમાં ભગવાન અનાશનિમિત્તભાવ થઇ શકે, પરંતુ ભગવાન સ્વયં ધર્માદિરહિત છે, તેથી આપણા ધર્માદિની પ્રાપ્તિમાં તે નિમિત્તભાવરૂપ કઇ રીતે થઇ શકે? તેથી કહે છે
रयणाई सुहरहिया सुहाइहेऊ जहेव जीवाणं । इह धम्माइनिमित्तं एसो धम्माइरहिओ वि ॥११॥ रत्नादयः सुखरहिताः सुखादिहेतवो यथैव जीवानाम् । तथा धर्मादिनिमित्तं एष धर्मादिरहितोपि ||o||
અન્વયાર્થ :
નન્હા જે પ્રકારે મુદ્દાહિયા ચારૂં સુખરહિત એવાં રત્નાદિ નીવાળું મુદ્દા દે વ જીવોનાં સુખાદિનાં કારણ જ છે, તદ્દતે પ્રકારે ધમ્મારૂત્રિઓ વિ ો ધર્માદિરહિત પણ આ=ભગવાન ધમ્માનિમિત્તે ધર્માદિના નિમિત્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org