SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D અનાદિવિંશિકા ! અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે કે જેમ તમે ધર્મ અને અધર્મને કારણરૂપે ભગવાનને સ્વીકારીને તેમની ભક્તિ કરો છો, તેમ અમે પણ ભગવાનને જગતના કારણઅકારણરૂપે સ્વીકારીને ભક્તિ કરીએ તો શું દોષ? તેથી કહે છે અથવા નવમી ગાથામાં કહ્યું કે ભગવાન ધર્મ-અધર્મનું નિમિત્ત છે. તેથી પૂર્વપક્ષી કહે કે ભગવાન સ્તુતિ કરનારને ધર્મનું કારણ છે અને નિંદા કરનારને અધર્મનું કારણ છે, તેથી જ સિદ્ધ થાય છે કે તેમને સ્તુતિ ગમે છે અને નિંદા ગમતી નથી, માટે તેમને બધા અભિલષિતની સિદ્ધિ છે તેમ કહી શકાય નહીં न य तस्स वि गुणदोसा अणासयनिमित्तभावओ हुंति । तम्मयचेयणकप्पो तहासहावो खु सो भयवं ॥१०॥ न च तस्यापि गुणदोषा अनाशयनिमित्तभावतो भवन्ति । तन्मयचेतनकल्पस्तथास्वभावः खलु स भगवान् ॥१०।। અન્વયાર્થ : છે અને મસિનિમિત્તરમાવો અનાશયનિમિત્તભાવ હોવાને કારણે તે વિ તેમને પણ=ભગવાનને પણ કુવો ન હૃતિ ગુણદોષો થતા નથી. (અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન કેવા છે? તે બતાવતાં કહે છે કે, તમયેયUવિષ્પોતન્મયચેતનકલ્પ તહાસદાવો છુ તો મયુર્વ તથાસ્વભાવવાળા ખરેખર તે ભગવાન છે. ગાથાાર્થ : અનાશયનિમિત્તભાવ હોવાને કારણે ભગવાનને પણ ગુણદોષો થતા નથી. (અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન કેવા છે? તે બતાવતાં કહે છે કે, તન્મયચેતનકલ્પ તથાસ્વભાવવાળા ખરેખર તે ભગવાન છે. ભાવાર્થ : ભગવાનની સ્તુતિ કરનાર વ્યક્તિને ધર્મ અને નિંદા કરનાર વ્યક્તિને અધર્મની પ્રાપ્તિ થાય છે. એ રીતે ધર્મ કે અધર્મની પ્રાપ્તિમાં ભગવાન નિમિત્ત હોવા છતાં સ્તુતિ કરનાર વ્યક્તિને ધર્મપ્રાપ્તિ કરાવવાનો કે નિંદા કરનાર વ્યક્તિને અધર્મપ્રાપ્તિ કરાવવાનો ભગવાનનો આશય નથી હોતો. માટે જ ભગવાનને અનાશયનિમિત્તભાવવાળા કહ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy