________________
૨૯
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન C અનાદિવિંશિકા ! ભાવાર્થ :
“લોકનો સદા ભાવ નથી” એવી માન્યતાનું સ્થાપન કરવા અહીં પૂર્વપક્ષી કહે કે લોક અનાદિનો નથી, પરંતુ જે ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ તે ભગવાન જ લોકના ભાવ-અભાવનું કારણ છે. તેથી ભગવાનમાં લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ છે. જયારે ભગવાન લોકને ઉત્પન્ન કરે ત્યારે લોક અસ્તિત્વને પામે છે અને જ્યારે વિનાશ કરે ત્યારે લોકનો અભાવ પ્રાપ્ત થાય છે.
, પૂર્વપક્ષીની આવી માન્યતાના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે, ઈશ્વરની સર્વે ઇચ્છાઓ પૂર્ણ થઈ છે, તેથી તેમને હવે કોઇ ઇચ્છા જ નથી કે જેથી લોકને ઉત્પન્ન કરે કે નાશ કરે. અર્થાત્ સર્વ અભિલપિતની સિદ્ધિ હોવાને કારણે ભગવાનમાં લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ માનવો ઉચિત નથી.
આ જ વાતની પુષ્ટિ કરતાં ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે કે, ભગવાનને બધા અભિલષિતની સિદ્ધિ થઈ છે એમ ન માનો તો તેમની ભક્તિ ફળ વગરની થશે, અર્થાત્ તેમની ભક્તિ માત્ર નામથી થશે પણ વાસ્તવિક રીતે તે ભક્તિને પાત્ર નહીં રહે. કેમ કે ભક્તિપાત્ર તો પૂર્ણપુરુષ જ હોય છે અને પૂર્ણપુરુષ તેને જ કહેવાય જેણે બધું જ પ્રાપ્ત કરી લીધું હોય છે, બધું જ સાધી લીધું હોય છે; અને તેથી જ હવે તેને કાંઈ કરવાનું રહેતું નથી. જેને હજું કાંઈક કરવાનું બાકી હોય તેને પૂર્ણપુરુષ કહેવાય જ નહીં. જો ભગવાનને હજી સંસારી જીવોની જેમ અભિલાષાઓ છે અને તેથી જ્યારે તેને અભિલાષા થાય છે ત્યારે જગતને ઉત્પન્ન કરે છે અને ઈચ્છા થાય ત્યારે જગતનો નાશ કરે છે, તો સામાન્ય લોકો જેવો જ ભગવાનનો સ્વભાવ થાય, પરંતુ તે પૂર્ણપુરુષ ના કહેવાય.
તેથી ભગવાનમાં જ લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ છે એમ માનવાથી, ભગવાન ભક્તિને પાત્ર નથી રહેતા. છતાં એમની ભક્તિ કરવામાં આવે તો તે પૂર્ણપુરુષની ભક્તિ નથી, પણ આણે ભગવાનની ભક્તિ કરી એટલું કહેવામાત્રરૂપ તે ભક્તિ છે.
આનાથી એ ફલિત થયું કે છઠ્ઠી ગાથામાં જે કહેલ કે લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ અનાદિ છે તે જ વાત યુક્ત છે. કેમ કે વચનના પ્રમાણથી લોક અનાદિ છે એ વાત પહેલી ગાથામાં સ્થાપન કરેલી અને તેના જ દષ્ટાંતથી ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ છે એમ સ્થાપન કર્યું, અને પરમપુરુષ લોકની ઉત્પત્તિ અને વિનાશમાં કારણ થઈ શકે નહીં, એ વાત પ્રસ્તુત ગાથામાં સ્થાપન કરી, તેથી લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ છે એમ નક્કી થાય.ર-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org