________________
૨૫
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
અનાદિવિંશિકા / પદાર્થોનું આદિમાનપણું સ્વીકારવું યુક્ત નથી. કેમ કે આવી કલ્પના કરીએ તો પૂર્વમાં પદાર્થોનો અભાવ સ્વીકારવો પડે અને અભાવમાંથી તો આ પદાર્થો ઉત્પન્ન જ ના થઈ શકે. માટે આવી કલ્પના વડે પણ પંચાસ્તિકાયને આદિમાન સ્વીકારી શકાય નહીં.
આ ભાવન કરવું જોઈએ એમ કહીને ગ્રંથકારને કહેવું છે કે-“પાંચે દ્રવ્યોને આદિમાન સ્વીકારી શકાય નહીં”—એ ભાવન કરવું જોઈએ. આ પ્રકારના ભાવનથી આ બધા પદાર્થો અનાદિ છે તે નિર્ણય સ્થિર થાય છે, અને તેવો નિર્ણય સ્થિર થવાથી જ પોતે પણ અનાદિ છે એવું નક્કી થાય છે, અને પોતે અનાદિ છે માટે પોતાના પારલૌકિક હિત માટે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય.IIર-પા
અવતરણિકા :
બીજી ગાથામાં લોકવર્તી પાંચે પદાર્થોનું લક્ષણ બતાવ્યું, ત્યાર પછી ત્રીજી અને ચોથી ગાથામાં તે કેવા સ્વરૂપવાળા છે તે બતાવ્યું અને પાંચમી ગાથામાં આ પાંચે પદાર્થો આદિમાન સ્વીકારવા યુક્ત નથી તે બતાવ્યું, અને તેની જ પુષ્ટી કરવા માટે આ ગાથામાં બતાવે છે કે તે પાંચે પદાર્થો પરમપુરુષથી કરાયેલા પણ નથી અને આદિમાન પણ નથી.
नो परमपुरिसपहवा पओयणाभावओ दलाभावा । तत्तस्सहावयाए तस्स व तेसिं अणाइत्तं ॥६॥ नो परमपुरुषप्रभवाः प्रयोजनाभावतो दलाभावात् । तत्तत्स्वभावतायां तस्येव तेषामनादित्वम् ॥६॥
અન્વયાર્થ:
પોયUITમાંવ પ્રયોજનનો અભાવ હોવાથી (અને) રત્નામવા દળનો=ઉપાદાનકારણનો, અભાવ હોવાથી નો પરમપુરિસપરંવા (પંચાસ્તિકાય) પરમપુરુષ વડે ઉત્પન્ન કરાયેલો નથી, પરંતુ) તત્તરૂહીવયાતે તે સ્વભાવથી તH વે તેની જેમ લોકની જેમ તેલં ફિત્ત તેઓનું પંચાસ્તિકાયનું અનાદિપણું છે.
ગાથાર્થ :
પ્રયોજનનો અભાવ હોવાથી અને ઉપાદાનકારણનો અભાવ હોવાથી પાંચ અસ્તિકાયો પરમપુરુષ વડે ઉત્પન્ન કરાયેલા નથી, પરંતુ તે તે સ્વભાવથી લોકની જેમ પાંચ અસ્તિકાયો પણ અનાદિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org