________________
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
૨૧
ગાથાર્થ :
આ ગતિ, સ્થિતિ, અવકાશ લક્ષણવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ; અને ઉપયોગયુક્ત જીવો, વળી મૂર્ત એવાં પુદ્ગલો જાણવાં.
7 અનાદિવિંશિકા જી
ભાવાર્થ:
જીવ કે અજીવને ગતિમાં સહાય કરવાના ગુણવાળો ધર્માસ્તિકાય છે, જીવ કે અજીવને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્તિકાય છે, અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય છે, ઉપયોગ લક્ષણયુક્ત જીવ છે અને પુદ્ગલાસ્તિકાય વર્ણાદિયુક્ત મૂર્તસ્વભાવવાળું છે.
અહીં પ્રશ્ન થાય કે ધર્માસ્તિકાયાદિને માનવાની જરૂર શી છે? ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય પદાર્થોછે. આ અતીન્દ્રિય પદાર્થોને અતીન્દ્રિયજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞના વચનથી જ માનવાના છે. સર્વજ્ઞ પંચાસ્તિકાયકરૂપ લોક કહ્યો છે માટે આપણે માનવો જોઈએ, અને આ વચનના આધારે જો યુક્તિની વિચારણા કરીએ તો કહી શકાય કે, જીવ અને પુદ્ગલ તો પ્રત્યક્ષ છે જ, અને એમની ગતિ-સ્થિતિ અને અવગાહનારૂપ કાર્ય પણ પ્રત્યક્ષ દેખાય છે. આ કાર્યના કારણ તરીકે કોઇ વસ્તુ માનવી જરૂરી છે, તેથી જ માની શકાય કે જીવ કે અજીવને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે, જીવ કે અજીવને કે સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય છે અને તેમને અવગાહના આપનાર આકાશાસ્તિકાય
છે.
આકાશ દ્રવ્ય એક છે છતાં પ્રદેશથી અનંત છે અને કેવળી તે આકાશને પૂર્ણ જુએ છે, છતાં અંત જોતા નથી; કેમ કે આકાશનો અંત માનીએ તો ત્યારપછી આકાશનો અભાવ છે તેમ માનવું પડે, અને અભાવ શશશૃંગ જેવો પદાર્થ નથી પણ કોઇક દ્રવ્યનો જ અભાવાત્મક પર્યાય છે. અને તે રીતે આકાશનો અંત માનીએ તો આકાશના અભાવના આધારભૂત એવા કોઇ અન્ય દ્રવ્યની કલ્પના કરવી પડે. તેથી આકાશ, પ્રદેશથી અનંત હોવા છતાં તેનો અંત નથી, જેમ કાળનો અંત નથી.
Jain Education International
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે, એક એક દ્રવ્ય છે અને તેનો અંત આવે છે. ત્યારપછી તે બંનેનો જે અભાવ પ્રાપ્ત થાય છે તે આકાશનો પર્યાય છે. હવે જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય તો, જીવ અને પુદ્ગલ અનંત હોવા છતાં અનંત આકાશમાં એ રીતે પ્રસરી જાય કે જીવને પુદ્ગલની પ્રાપ્તિ થઇ શકે નહીં, અને પુદ્ગલને જીવની પ્રાપ્તિ થઇ શકે નહીં. કેમ કે પુદ્ગલ અને જીવની સંખ્યા કરતાં આકાશનું ક્ષેત્ર ઘણું મોટું છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાયક દ્રવ્ય છે અને લોકના છેડે
For Personal & Private Use Only
www.jainelibrary.org