________________
૧૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
D અનાદિવિંશિકા 0.
// 3G//dr9@I તિરા //
આવતરણિકા :
લોક અનાદિ છે અને આત્મા પોતે પણ અનાદિ છે એમ નક્કી થાય તો જ પરલોકમાં પોતાના હિત અર્થે ધર્મની આવશ્યકતા નક્કી થાય. તેથી સૌ પ્રથમ અનાદિમાન લોક અને લોક અંતર્વર્તી અનાદિમાન પદાર્થોનું સ્વરૂપ શાસ્ત્ર અને યુક્તિથી બતાવવા અર્થે આ અનાદિવિશિકા કરેલી છે. ત્યાં પ્રથમ લોકનું સ્વરૂપ બતાવતાં કહે
पंचत्थिकायमइओ अणाइमं वट्टए इमो लोगो । न परमपुरिसाइकओ पमाणमित्थं च वयणं तु ॥१॥ पञ्चास्तिकायमयकोऽनादिमान्वर्ततेयं लोकः ।
न परमपुरुषादिकृतः प्रमाणमत्र च वचनं तु ॥१॥ અન્વયાર્થ :
પંચન્જિોયમો પંચાસ્તિકાયમયમોનોનો સUIÉ વટ્ટી આ લોક અનાદિ વર્તે છે (પરંતુ) પરમપુરિસફિક્ર પરમપુરુષ આદિ વડે કરાયેલો નથી રહ્યું અને અહીં લોક અનાદિ છે એ વિષયમાં વયur તુ પHIJIવચન જ પ્રમાણ છે.
ગાથાર્થ :
પંચાસ્તિકાયમય આ લોક અનાદિ વર્તે છે, પરંતુ પરમપુરુષ આદિ વડે કરાયેલો નથી; અને લોક અનાદિ છે એ વિષયમાં વચન જ પ્રમાણ છે.
ભાવાર્થ :
જે લોકમાં આપણે અનાદિકાળથી છીએ અને અનંત કાળ રહેવાના છીએ તે પંચાસ્તિકાય લોક અનાદિકાળથી છે. અનાદિકાળથી હોવાને કારણે તેનો કર્તા કોઈ નથી. આમ છતાં, જગતમાં “આ જગત કોઈથી બનાવાયેલું છે” એવું માનનાર પણ મત છે અને તે બનાવનાર કોણ છે તે સમજાવતાં તેઓ કહે છે કે, આ જગત પરમપુરુષ અર્થાત્ ઈશ્વરથી સર્જાયેલ છે. લોકને પરમપુરુષાદિકૃત માનનારા આવા મતોના નિરાકરણાર્થે જ આ ગાથામાં કહ્યું છે કે, લોક પરમપુરુષાદિકૃત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org