________________
3 અધિકારવિંશિકા –
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૮
ચરમપુદ્ગલપરાવર્તવર્તી ભવ્ય જીવની સદ્બુદ્ધિનું ૫૨મ પાચન છે અને ભવિરહફળવાળું એવું ચરમપુદ્ગલપરાવર્ત પણ આ કૃત્યો વડે જ જણાય છે.
ભાવાર્થ:
અહીં સાધુ અને અનાથ બે બતાવ્યા, ત્યાં ઉપલક્ષણથી બીજા પણ જીવો ગ્રહણ કરવાના છે અને તેઓ માટે શક્તિને અનુરૂપ ઉચિત કર્તવ્યો કરવાનાં છે.
ગાથા-૧૯માં બતાવેલ કૃત્યો કરવાથી જીવમાં વર્તતી શુદ્ધ બુદ્ધિ ખીલે છે અને તેવો જીવ ગાથા-૧૭માં બતાવ્યું તે પ્રમાણે તન્ત્રયુક્તિથી શાસ્ત્રોનું પરિભાવન કરે તો તેને ક્રમસ૨ મધ્યસ્થતા અને અર્થિતા ગુણ પ્રગટે અને તેનાથી તેને તત્ત્વની પ્રાપ્તિ થાય. તેથી હિતાર્થીએ જેમ આ ગ્રંથમાં પ્રયત્ન કરવો જોઈએ તેમ ગાથા-૧૯માં બતાવેલ કૃત્યોમાં પણ પ્રયત્ન કરવો જોઈએ. આ કૃત્યો દ્વારા જ જીવવર્તી ભવવિરહફળવાળું ચરમાવર્ત જણાય છે, અર્થાત્ જેનામાં આવાં કૃત્યો હોય તે નિયમા ચરમાવર્તમાં હોય તે નક્કી થઈ શકે છે, પરંતુ ચરમાવર્તમાં રહેલ બધા જીવો આ કૃત્યો કરતા જ હોય તેવી વ્યાપ્તિ નથી. આ પ્રકારનો ભાવ જણાય છે, વિશેષ બહુશ્રુત વિચારે.II૧-૧૯/૨૦||
।। इति प्रथमा अधिकारविंशिका समाप्ता ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org