________________
૧૬
0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ -
UM આને =અધિકારોને સો સાંભળીને તંતગુત્તપરિમાવંતો ૩ વુદો તત્ર શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરતો જ બુધ પાણUT પ્રાયઃ સુત્તસ નો સૂત્રને યોગ્ય સુદ્ધવૃદ્ધી શુદ્ધ બુદ્ધિવાળો નાયરૂ થાય છે.
સુવૃદ્ધિનો શુદ્ધ બુદ્ધિના યોગથી સંસ્થારૂં મધ્યસ્થતાથી સ્થિયTV ય અને અર્થિતાથી નિયમ નક્કી તત્તવિક્ષેપો નક્ઝરૂ તત્ત્વવિશેષ જણાય છે, જે સ્ત્રી અન્યથા નહીં. માટે જ) રૂલ્ય ગરૂવૅ અહીં = આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ.
૯ ગાથા-૧૭માં ‘ત્તિ' પાદપૂર્તિ માટે અને “3” “જ” કાર અર્થમાં વાપરેલ છે.
ગાથાર્થ :
અધિકારોને સાંભળીને શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરતો જ બુધ પ્રાયઃ સૂત્રને યોગ્ય શુદ્ધ બુદ્ધિવાળો થાય છે અને શુદ્ધ બુદ્ધિના યોગથી મધ્યસ્થતાથી અને અર્થિતાથી નક્કી તત્ત્વવિશેષ જણાય છે, અન્યથા નહીં. માટે જ આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ.
ભાવાર્થ
અહીં “બુધ' શબ્દથી તત્ત્વ જાણવાને અભિમુખ થયેલ જીવને ગ્રહણ કરવો છે અને એવો જીવ આ ગ્રંથને ભણીને સ્વમતિથી આ ગ્રંથના વિચારો કરે તો શુદ્ધ બુદ્ધિવાળો થઈ શકે નહીં, પરંતુ શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરે તો જ શુદ્ધ બુદ્ધિવાળો થઈ શકે અને શાસ્ત્રયુક્તિથી પરિભાવન કરવા યત્ન કરતો હોય તો પણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ અતિમંદ હોય તો શુદ્ધબુદ્ધિ ન થઈ શકે, તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ મૂકેલ
અહીં શુદ્ધ બુદ્ધિ એટલે શાસ્ત્રને યોગ્ય એવી નિર્મળ બુદ્ધિ ગ્રહણ કરવાની છે અને શુદ્ધ બુદ્ધિ થયા પછી જો શાસ્ત્ર ભણે તો તે સમ્યગૂ પરિણમન પામી શકે છે.
ગાથા-૧૭ માં બતાવ્યા પ્રમાણે શાસ્ત્રને યોગ્ય એવી શુદ્ધ બુદ્ધિ થવાને કારણે જીવમાં તત્ત્વ-અતત્ત્વના વિભાગ કરવામાં મધ્યસ્થતા આવે છે અને તત્ત્વની અર્થિતા આવે છે. આ રીતે શુદ્ધ બુદ્ધિનો યોગ થાય, મધ્યસ્થતા આવે અને અર્થિતા પ્રગટે તો જીવ નિયમ તત્ત્વવિશેષને જાણી શકે છે, અન્યથા નહીં. એથી કરીને શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ માટે આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ.ll૧-૧૭/૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org