SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન [ અધિકારવિંશિકાd ઉપકાર કરી શકે તેમ નથી, પરંતુ જો તે પદાર્થો લોકોને ગ્રહણ થાય તે રીતે સરળ શબ્દોમાં સંકલન કરીને મુકાય તો જગતને ઉપકાર થાય તેમ છે, તેથી તેવી વ્યક્તિ શાસ્ત્રોના પદાર્થોને લોકભોગ્ય બનાવવા પ્રવૃત્ત થાય, તો તેની તે પ્રવૃત્તિ સમ્ય કહેવાય. ગાથાર્થ : જે કારણથી ખલજનને પીડા થાય છે તે કારણથી ગ્રંથ રચવામાં વળી એક દોષ છે, તો પણ સજ્જનોના મતિતોષને જોઈને ગ્રંથ રચવામાં હું પ્રવૃત્ત થયો છું; અને ગ્રંથરચના કરવાથી પણ જે કુશલ થશે તેનાથી ખલપુરુષોને પણ પીડા નહિ થાય. અહીં શંકા થાય કે છબસ્થથી ગ્રંથ રચવામાં અનાભોગથી પણ ભૂલ થવાની સંભાવના છે, તેથી છદ્મસ્થ વડે ગ્રંથરચનાની પ્રવૃત્તિ કરવી તે કેવી રીતે ઉચિત ગણાય? તેનો ઉત્તર આપતાં ગાથાના ઉત્તરાર્ધ્વથી કહે છે કે શાસ્ત્રમાં શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિ નિર્દોષ કહેવાઈ છે, અને શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિને નિર્દોષ ન માનો તો છબસ્થ વડે ગ્રંથરચના કરવા રૂપે કુશલમાર્ગમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ક્યારે પણ સમ્યફ પ્રવૃત્તિ કરી શકાશે નહિ. આ રીતે ગાથા-૩ થી ૧૦ સુધી પોતાની ગ્રંથરચના કરવાની પ્રવૃત્તિ ઉચિત છે એ યુક્તિથી સ્થાપન કરીને, એ કથન પ્રાસંગિક છે એમ બતાવતાં કહે છે કે પ્રસંગથી સર્યું. ભાવાર્થ : આગમોમાંથી ઉદ્ધાર કરીને ગ્રંથકારે આ રીતે ગ્રંથ રચવો ઉચિત છે તે સ્થાપન કરીને કહ્યું કે “ગ્રંથ રચવામાં ખલપુરુષોને પીડા થશે એ એક દોષ તો છે.” અહીં ખલપુરુષોથી સંસારના દુર્જનો લેવા નથી, પણ ધર્મનો ઉપદેશ આપનારા કે ધર્મમાં પ્રવૃત્તિ કરનારાઓમાંથી પણ કેટલાક લોકોની એવી પ્રકૃતિ હોય છે કે, વિચાર્યા વગર બીજાની પ્રવૃત્તિઓમાં પણ છિદ્રો જુએ એવા લોકો લેવા છે. તેઓને એમ થશે કે પૂર્વના મહાપુરુષોના ગ્રંથો વિદ્યમાન હોવા છતાં પોતાના ગ્રંથો નિર્માણ કરવા તે ઉચિત નથી. તેથી આ નવા ગ્રંથની રચના જોઈને તેમને પીડા થશે. ખલપુરુષની આ પીડા ગ્રંથરચના કરવામાં દોષરૂપ તો છે, પણ વિચારક સજ્જનોને તો આનંદ થશે, કે ગંભીર આગમોમાંથી લોકોને ઉપકાર થાય એવી આ અપૂર્વ ગ્રંથરચના મહાત્માએ કરી છે. તેથી આ સજ્જનોના સંતોષને જોઈને ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથમાં પ્રવૃત્તિ કરે છે. વળી તે ગ્રંથથી જગતના લોકોને થયેલ તત્ત્વબોધથી જે પણ ઉપકાર થશે તેના કારણે ખલપુરુષોને પણ પીડા નહીં થાય. તાત્પર્ય એ છે કે ગ્રંથકાર ગ્રંથરચના કરે છે અને તેનાથી અનેક જીવોને સન્માર્ગની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy