SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન O શ્રાવકપ્રતિમાવિંશિકા ત જીવે પૂર્વમાં જ જાવજીવ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું હોય તો તે શ્રાવક પાંચ મહિના સુધી પાંચમી પ્રતિમાને ગ્રહણ કર્યા પછી, છ મહિના સુધી છઠ્ઠી પ્રતિમા ગ્રહણ કરે છે. તે પાંચમી પ્રતિમાની સર્વ ક્રિયાઓ છ મહિના સુધી આગળ ચાલુ રાખે છે. કોઇક જીવ વળી ત્યારે જ યાવજ્જીવ બ્રહ્મચર્ય ગ્રહણ કરે તો તે છ મહિના સુધી પૂર્વની પાંચ પ્રતિમાઓની ક્રિયાઓ ચાલુ રાખે. આ પ્રતિમા છ મહિનાની બ્રહ્મચર્ય પ્રતિમા હોવા છતાં, કોઇ જીવને આશ્રયીને જાવજીવ પણ અબ્રહ્મનું વર્જન થઇ શકે છે. સાધુધર્મ અને શ્રાવકધર્મમાં વિચિત્ર એવો શ્રાવકધર્મ ત્યાગના ભેદથી અનેક પ્રકા૨વાળો છે. સાધુધર્મ તો સર્વ સાવધના ત્યાગરૂપ એક પ્રકારનો જ હોય છે. તેમાં માત્ર ક્ષયોપશમના અતિશયની તરતમતાથી ભેદો પડે છે, જ્યારે શ્રાવકધર્મમાં બાહ્ય ત્યાગને આશ્રયીને પણ અનેક પ્રકારના ભેદો હોય છે. તે જ બતાવવા માટે કહે છે કે જે કારણથી આ રીતે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકા૨વાળો હોય છે તેથી જ, કોઇક જીવને આ અબ્રહ્મચર્યવર્જન પ્રતિમા છ મહિના સુધી જ હોય તો કોઇકને યાવજ્જીવ પણ હોય છે.૧૦-૧૦/૧૧॥ અવતરણિકા : હવે સાતમી સચિત્તત્યાગપ્રતિમા કહે છે एवंविहो उ नवरं सच्चित्तं पि परिवज्जए सव्वं । सत्त य मासे नियमा फासुयभोगेण तप्पडिमा ॥ १२ ॥ एवंविधस्तु केवलं सचित्तमपि परिवर्जयति सर्वम् । सप्तान् मासान्नियमात्प्रासुकभोगेन तत्प्रतिमा ॥શ્રા जावज्जीवाए वि हु एसा सच्चित्तवज्जणा होइ । एवं चिय जं चित्तो सावगधम्मो बहुपगारो ॥ १३ ॥ यावज्जीवमपि खल्वेषा सचित्तवर्जनाद्भवति 1 एवमेव यच्चित्र: श्रावकधर्मो बहुप्रकार: ॥૧॥ અન્વયાર્થ : ૩ વળી વિો આવા પ્રકારનો શ્રાવક=છઠ્ઠી પ્રતિમાની ક્રિયાઓથી યુક્ત શ્રાવક સત્ત ય માસે સાત મહિના સુધી નિયમ નિયમથી ાસુમોનેળ પ્રાસુક ભોજન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy