________________
૨૦૭
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન 1 શ્રાવકપ્રતિમાવિશિકા
ગાથાર્થ :
જે કારણથી દર્શનપ્રમુખ પ્રતિમાઓના શુશ્રુષા આદિ ગુણો કાર્યસૂચક છે તે કારણથી કાયિક ક્રિયા દ્વારા સામાન્યથી પ્રતિમા સમ્યગુ જણાય છે.ll૧૦-૩
અવતરણિકા -
દર્શનપ્રતિમાનું સ્વરૂપ બતાવે છે
सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो दंसणपडिमा भवे एसा ॥४॥ शुश्रूषा धर्मरागो गुरुदेवानां यथासमाधि । वैयावृत्ये नियमो दर्शनप्रतिमा भवेदेषा ॥४॥
અન્વયાર્થ :
સૂફૂસ શુશ્રુષા, ઘમ+Tો ધર્મરાગ અને નદીમાહી ગુરુદેવાઈ વેયાવચ્ચે નિયમો સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ મુસા વંસUાપડમા મવે આ દર્શનપ્રતિમા છે.
ગાથાર્થ :
શુશ્રુષા, ધર્મરાગ અને સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ આ દર્શનપ્રતિમામાં થાય છે.
ભાવાર્થ :
પંચાશકમાં બતાવેલ છે કે શ્રાવકને દર્શનપ્રતિમા એક મહિનાની હોય છે અને આ પ્રતિમા દર્શનાચારના પાલન કરતાં વિશેષ છે. તેથી એ ફલિત થાય કે સામાન્યથી શુશ્રુષા આદિમાં શ્રાવક જેવો યત્ન કરે છે તેના કરતાં વિશેષ પ્રકારનો યત્ન દર્શનપ્રતિમામાં હોય છે. વળી દર્શનપ્રતિમા નિરતિચાર સમ્યગ્દર્શનને વહન કરવારૂપ કહેલ છે. એથી આ પ્રતિમાને વહન કરનાર શ્રાવક શાસ્ત્રોને સાંભળવા માટે શક્તિના અતિશયથી અને સમ્યગુ તત્ત્વના પરિણામ માટે ઉપયોગપૂર્વક સાંભળવાની ક્રિયા કરે છે, આ જ તેનો વિશેષ પ્રકારનો શુશ્રુષા ગુણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org