________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / અધિકારવિંશિકાd. વ્યુચ્છેદ નથી, કેમ કે શ્રુતના દેશના દર્શનને કારણે ગ્રંથ દ્વારા કૌતુકથી શ્રુતમાં પ્રવૃત્તિ થાય છે, તે કારણથી જ સારા ગ્રન્થની રચના કરવી યુક્ત છે.
ભાવાર્થ
ગ્રંથકારે લોકભોગ્યરૂપે પદાર્થોને લોક આગળ મૂકવા માટે આગામોમાંથી આ ગ્રંથના અધિકારો બનાવ્યા છે. તેથી એમ કહેવાય કે તે અધિકારો આગમમાંથી ઉદ્ધત છે અને આ રીતે આગમમાંથી પદાર્થો ગ્રહણ કરીને નવી ગ્રંથરચના કરવાથી આગમનો વ્યરચ્છેદ નહિ થાય, અર્થાત્ લોકો આગમને જાણવા માટે ઉપેક્ષાવાળા નહિ થાય, કેમ કે પ્રસ્તુત અધિકાર આગમના દેશરૂપ છે. તે દેશને જોવાથી વિચારકને આગમનું મહત્ત્વ સમજાશે અને તેથી આગમના ગંભીર ભાવો જાણવા માટે કૌતુક થશે, અર્થાત્ જિજ્ઞાસા થશે અને તેથી આગમમાં તેઓ પ્રયત્ન કરશે. ll૧-ગા
અવતરણિકા :
આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે શાસ્ત્રોના જાણકારોએ આગમોમાંથી ઉદ્ધાર કરીને ગ્રંથ રચના કરવી ઉચિત છે, તેને જ દઢ કરવા માટે કહે છે
इक्को उण इह दोसो जं जायइ खलजणस्स पीड त्ति । तह वि पयट्टो इत्थं दटुं सुयणाण मइतोसं ॥८॥ एकः पुनरिह दोषो यज्जायते खलजनस्य पीडेति । तथापि प्रवृत्तोत्र दृष्ट्वा सुजनानां मतितोषम् ॥८॥ तत्तो वि य जं कुसलं तत्तो तेसि पि होहिइ ण पीडा । सुद्धासया पवित्ती सत्थे निहोसिया भणिया ॥९॥ ततोऽपि यत्कुशलं ततस्तेषामपि भविष्यति न पीडा । शुद्धाशया प्रवृत्तिः शास्त्रे निर्दो षिका भणिता ॥९॥ इहरा छउमत्थेणं पढमं न कयाइ कुसलमग्गम्मि । इत्थं पयट्टियव्वं सम्मं ति कयं पसंगेण ॥१०॥ (इतरथा छद्मस्थेन प्रथमं न कदाचित्कुशलमार्गे । इत्थं प्रवर्तितव्यं सम्यगिति कृतं प्रसङ्गेन ॥१०॥)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org