SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ અધિકારવિંશિકા ત વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન E આદિ પ્રત્યે બહુમાનવાળો હોય તો તે મહાપુરુષોના વિચારોથી સહેજ પણ અન્યથા પોતાનાથી ન કહેવાઇ જાય તેની સાવધાનતા તેનામાં હોય છે. વળી ગ્રંથકાર જો પોતાની શક્તિને અનુરૂપ પ્રયત્ન ન કરે તો અજ્ઞાનને કારણે પણ પૂર્વના મહાપુરુષોના કથનથી વિપરીત રચના થઈ જવાની શક્યતા છે. તેથી કહ્યું છે કે શક્તિને અનુરૂપ જ પ્રયત્ન કરવો જોઇએ. આ ઉપરાંત પૂર્વના મહાપુરુષોના વચનોનો પરમાર્થ સેવાકાળમાં વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે. તેથી જેના જીવનમાં કુશલ આચરણા હોય તે પૂર્વના મહાપુરુષોના વચનને વિશેષરૂપે સમજી શકે છે અને ગ્રંથમાં પણ તે પરમાર્થને તે વિશેષરૂપે વણી શકે છે. આ સર્વે કારણોસર પૂર્વના મહાપુરુષોના બહુમાનપૂર્વક, સ્વશક્તિથી અને કુશલ આચરણાઓપૂર્વક અધિકારીએ ગ્રંથરચના કરવી યુક્ત છે.II૧-૬॥ અવતરણિકા : સારા ગ્રંથ રચવા યુક્ત કેમ છે એ બતાવતાં કહે છે... जत्तो उद्धारो खलु अहिगाराणं सुयाओ ण उ तस्स । इय वुच्छेओ तद्देसदंसणा कोउगपवित्ती ।। खलु अधिकाराणां व्युच्छेदस्तद्देशदर्शनात्कौतुकप्रवृत्तिः यतोद्धारः श्रुतान्न तु तस्य 1 इति IIII અન્વયાર્થ ઃ નત્તો જે કારણથી વસ્તુ ખરેખર સુયો શ્રુતમાંથી = આગમમાંથી, અહિરાળ દ્વારો અધિકારોનો ઉદ્ધાર છે, રૂચ ૫ ૩ તમ વુછેો પરંતુ આ રીતે = આગમમાંથી ગ્રંથનો ઉદ્ધાર કર્યો એ રીતે, તેનો=શ્રુતનો, વ્યુચ્છેદ નથી, (કેમ કે) તદ્દેસવંસળા જોપવિત્તી તેના=શ્રુતના, દેશના દર્શનને કારણે કૌતુકથી (શ્રુતમાં) પ્રવૃત્તિ (થાય છે.) ( તે કારણથી જ સારા ગ્રંથની રચના કરવી યુક્ત છે.) * ગાથામાં ખત્તો પ્રયોગ કર્યો છે, તેનાથી એ બતાવ્યું છે કે પૂર્વગાથામાં કહ્યું કે “શાસ્રના જાણકારોએ ગ્રંથ રચવો યુકત છે” તેમાં હેતુરૂપે પ્રસ્તુત ગાથા છે. ગાથાર્થઃ જે કારણથી ખરેખર આગમમાંથી અધિકારોનો ઉદ્ધાર છે, પરંતુ આ રીતે શ્રુતનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy