________________
૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૩ અધિકારવિંશિકા છ
પૂર્વાર્ધમાં બતાવ્યો અને ઉત્તરાર્ધમાં નિગમન કરતાં બતાવ્યું કે કુશલ કથન અને કુશલ ચેષ્ટામાં પુરુષે શક્તિ અનુરૂપ પ્રયત્ન કરવો જોઈએ.૧-૫II
અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે શક્તિને અનુરૂપ ગ્રંથરચનામાં તથા ઉચિત આચરણાઓમાં પ્રયત્ન કરવો જોઈએ, ત્યાં પ્રશ્ન થાય કે નવો ગ્રંથ રચવો કે ઉપદેશ આપવો તે શું બધાને માટે યુક્ત છે? તેનો ઉત્તર આપતાં કહે છે
तेसिं बहुमाणाओ ससत्तिओ कुसलसेवणाओ य । जुत्तमिणं आसेवियगुरुकुलपरिदिठ्ठसमयाणं ॥६॥
तेषां
बहुमानात्स्वशक्तित:
कुशलसेवनायाश्च
युक्तमिदमासे वितगुरुकुलपरिदृष्टसमयानाम्
અન્વયાર્થ :
સેવિયનુન
તેતિ વહુમાળાઓ તેઓના = પૂર્વના મહાપુરુષોના બહુમાનથી, સત્તિઓ સ્વશક્તિથી ય અને સત્તસેવાઓ કુશલ આચરણાઓથી પરિવિસમયાનું આસેવિત ગુરુકુલવાસને કારણે જોવાયાં છે શાસ્ત્રો જેના વડે તેઓને ગુત્તમાં આ ગ્રંથ૨ચના ક૨વી યુકત છે.
-=
** મૂળમાં પત્તિવિદ્દ ના બદલે પઙ્ગિ પાઠાન્તર છે અને તે સાચો છે.
॥૬॥
ગાથાર્થ ઃ
પૂર્વના મહાપુરુષોના બહુમાનથી, સ્વશક્તિથી અને કુશલ આચરણાઓથી આસેવિત ગુરુકુલવાસને કારણે જોવાયાં છે શાસ્ત્રો જેમના વડે તેવી વ્યક્તિઓને ગ્રંથરચના કરવી યુકત છે.
ભાવાર્થ :
ગુરુકુલવાસના આસેવનથી શાસ્ત્રોના પદાર્થોનું જ્ઞાન થાય છે, અને જેને આ રીતે શાસ્ત્રોના પદાર્થોનું જ્ઞાન થયું હોય તે જ ગ્રંથ રચવા માટે ખરેખર અધિકારી છે, બીજો નહીં. આ રીતે અધિકૃત વ્યક્તિ જો પૂર્વના મહાપુરુષો, અર્થાત્ તીર્થંકર, ગણધર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org