SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન જી શ્રાવકધર્મવિશિકા D થયેલ નિર્જરાના અને બંધાયેલ પુણ્યના બળથી જન્માંતરમાં સદ્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે, અને અંતે સર્વકર્મના નાશથી પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે ધર્મના ગુણોમાં ચિત્તને સ્થાપન કરવું જોઇએ, જેનાથી ધર્મ કરવામાં સમ્યગ્ યત્નને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય છે અને ઉલ્લસિત થયેલું વીર્ય ધર્માનુષ્ઠાનને દઢ બનાવે છે. (૮) બાધક દોષના વિપક્ષમાં ચિત્તનો ન્યાસ કરેઃ પોતાને જે જે નિમિત્તો પામીને જે જે પરિણામો થાય છે તેનું સમ્યગ્ સમાલોચન કરીને, તે બાધક દોષોને સ્મૃતિમાં લાવીને, તે દોષોના વિપક્ષ એવા ગુણોનું સમ્યગ્ સ્વરૂપ ગીતાર્થ આદિ પાસે જાણીને તેમાં ચિત્તને સ્થાપન કરવું જોઇએ; જેથી નિમિત્તોને પામીને પણ તે દોષો જાગ્રત ન થાય તેવી જીવની ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય. (૯) ધર્માચાર્યમાં ચિત્તનું સ્થાપન કરે : બોધિલાભના કારણીભૂત એવા ગુરુમાં ચિત્તનું સ્થાપન કરવું જોઇએ, અને વિચારવું જોઇએ કે જેમનો પ્રતિ-ઉપકાર કરવો દુષ્કર છે એવા આ મારા ગુરુ છે. આવા પ્રકારનો વિચાર કરવાથી કૃતજ્ઞતા વિકસે છે, બહુમાન વધે છે અને બોધિલાભનું મહત્ત્વ અધિક ઉપસે છે, જેના લીધે પોતે સુલભબોધિ બને છે. (૧૦) ‘ઉધતવિહારમાં ચિત્તનો વિન્યાસ કરે ઃ , ભૂતકાળમાં જે તીર્થંકરો, ગણધરો, અપ્રમત્તમુનિઓ આદિ જે રીતે સંસારસાગરથી તરવા માટે સંયમયોગમાં યત્ન કરતા હતા તેઓનું સ્મરણ કરવું જોઇએ. વર્તમાનમાં કાળહાનિને કારણે લગભગ જીવો અલ્પ સત્ત્વવાળા હોય છે. આમ છતાં, વર્તમાનના સંયોગોમાં પણ જેઓ અપ્રમાદભાવથી સંયમમાં કે શ્રાવકાચારમાં યત્ન કરે છે તેઓ ધન્ય છે, એવું વિચારી તેમનું પણ સ્મરણ કરવું જોઇએ; અને “હું ક્યારે શક્તિના પ્રકર્ષથી ઉઘતવિહારમાં યત્ન કરીશ’ એવી ભાવના ભાવવી જોઇએ. આવી પ્રકર્ષ ભાવના કરવાથી જ ઉઘતવિહાર કરવામાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે અને ઉઘતવિહાર કરવાનો પરિણામ જાગૃત થાય છે. આ પ્રકારનો દસ ભાવોમાં ચિત્તનો વિન્યાસ કરવાથી અનિચ્છાની ઇચ્છાસ્વરૂપ સંવેગનો પરિણામ પેદા થાય છે.II૯-૧૭/૧૮/૧૯॥ ૧ઉઘતવિહાર એટલે અત્યંત અપ્રમાદભાવથી સંયમયોગમાં દૃઢ યત્ન કરવો તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy