SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ 0 શ્રાવકધર્મવિંશિકા D વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન (૪) આયુષ્યની પરિહાનિમાં ચિત્તનો વિચાર કરવો જોઈએ: પ્રતિક્ષણ આયુષ્ય ઓછું થાય છે, અને જો સમ્યગૂ સાવધાનતાપૂર્વક હિત સાધવામાં નહીં આવે તો, પ્રાપ્ત થયેલા માનવઆયુષ્યની સમાપ્તિ થતાં તો દુર્ગતિ અને સંસારપરિભ્રમણ જ પ્રાપ્ત થશે. માટે પસાર થતા આયુષ્યનો સવ્યય કેમ થાય તે વિચારવું જોઇએ. તે પ્રમાણે ઉપયોગપૂર્વક આયુષ્યની પરિહાનિને જોવાથી, જે અવિચારકતાથી જેમ તેમ દિવસ પસાર થાય છે તેનાથી આત્માનું રક્ષણ થાય છે. (૫) અસમંજસ પ્રવૃત્તિઓના વિપાકમાં ચિત્તનો વિન્યાસ કરવો જોઈએ - શ્રાવકે ધીરે ધીરે પણ સર્વવિરતિને અભિમુખ માનસ માટે યત્ન કરવાનો છે. તેને બદલે પ્રમાદાદિને કારણે તે નિરર્થક એવી જે અસમંજસ=અયોગ્ય ચેષ્ટાઓ કરે છે, તેનો વિપાક દુર્ગતિ જ છે. સામાન્ય ભાવથી પણ કોઇપણ પાપપ્રવૃત્તિનું દસગણું ફળ કહેલ છે અને વિશેષ ભાવ થાય તો સોગણું, લાખગણું કે અબજમણું પણ ફળ થઈ શકે છે એમ “સંગરંગશાળામાં કહેલ છે. આમ વિચાર કરવાથી અસમંજસ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને સ્વભૂમિકાને સાધવા માટે ચિત્ત ઉસ્થિત થાય છે. (૬) ક્ષણલાભદીપનામાં ચિત્તનું સ્થાપન કરે - એક ક્ષણમાં જીવ અશુભ અધ્યવસાય દ્વારા મોટા અશુભ કર્મનું નિર્માણ કરી શકે છે, અને એક ક્ષણના શુભ અધ્યવસાય દ્વારા ઘણાં કર્મોનો નાશ પણ જીવ કરી શકે છે. એક ક્ષણમાં જીવ ઉચ્ચગતિનું કે નીચગતિનું આયુષ્ય બાંધી લે છે, અને એક ક્ષણમાં મોક્ષને પામવાની સામગ્રી પણ મળી શકે છે. આ રીતે ક્ષણલાભના પ્રકાશનમાં ચિત્તને યોજવાથી ધીરે ધીરે શુભ અધ્યવસાયમાં યત્ન તીવ્ર બને છે અને અશુભ અધ્યવસાયથી વિમુખભાવ સ્થિર થાય છે. (૭) વિવિધ પ્રકારના ધર્મના ગુણોમાં ચિત્તનો વિન્યાસ કરે - અહીં ધર્મથી શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મ ગ્રહણ કરવાનો છે. જે જીવને ભગવાનનું વચન સમ્ય પરિણમન પામ્યું હોય, અને તેને અનુરૂપ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રમાં તે સમ્ય યત્ન કરતો હોય, તો આ લોકમાં જ તેના ચિત્તના વિકારો શાંત થઇ જાય છે અને અંતરંગ સ્વસ્થતા પ્રગટે છે. વળી ઉત્તમ અધ્યવસાયને કારણે ભૂતકાળની પાપપ્રકૃતિઓ વર્તમાનમાં પુણ્યરૂપે પરાવર્તન પામે છે કે નાશ પણ પામે છે, જેથી બાહ્ય પણ અનુકૂળતાઓ ઊભી થાય. વળી સમ્યગુ ધર્મના સેવનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy