SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પલ્યોપમ પૃથક્વ ઘટે ત્યારે દેશવિરતિનો પરિણામ પ્રગટ થાય છે, અને તે કર્મનો હાસ વિધિપૂર્વક વ્રતગ્રહણ અને નિરતિચાર પાલનને કારણે થાય છે. આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે, આ વ્રતનો પરિણામ વ્રતના ગ્રહણમાત્રથી નિયમા થાય તેમ નથી, પરંતુ કોઈ જીવ જયારે તીવ્ર સંવેગપૂર્વક ગુરુ પાસે વ્રતોનું સ્વરૂપ સાંભળે ત્યારે, સંવેગની તીવ્રતાને કારણે વ્રતનું સ્વરૂપ સાંભળતાં જ ભાવથી વિરતિનો પરિણામ તેનામાં પ્રગટે છે; તો કોઈક જીવને તીવ્ર સંવેગ હોવા છતાં, પરિણામમાં તેવી તીવ્રતા નહીં હોવાને કારણે, સાંભળ્યા પછી વિધિપૂર્વક વ્રતઉચ્ચારણના ક્રિયાકાળમાં ભાવથી વિરતિનો પરિણામ થાય છે; વળી કોઇકને વ્રત ગ્રહણ કર્યા પછી પણ વિધિપૂર્વક પાલન કરતાં કરતાં વિરતિનો પરિણામ થાય છે; અને વળી કોઇક જીવને પ્રગટેલો પણ પરિણામ વ્રતના પાલનમાં અપ્રમાદપૂર્વકનો યત્ન ન હોય તો કર્મના ઉદયથી ચાલ્યો પણ જાય આમ, વ્રત ગ્રહણ કર્યા પછી સમ્યગુ પાલન કરવાને કારણે પાછળથી પણ વ્રતનો પરિણામ થાય છે, અને પ્રગટ થયેલો વ્રતનો પરિણામ કર્મના ઉદયથી ચાલ્યો પણ જાય છે, તે કારણથી, આગળમાં કહેવાતા ભાવોમાં વ્રતો ગ્રહણ કર્યા પછી સદા યત્ન કરવો જોઈએ. (૧) નિત્યસ્મૃતિથી : વ્રત ગ્રહણ કર્યા પછી હંમેશાં વાસનારૂપે વ્રતનું સ્મરણ તે રીતે હોવું જોઈએ, કે જેથી સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે તે વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. આ માટે જ પ્રસંગે પ્રસંગે વારંવાર વ્રતોનું સ્મરણ કરીને વ્રતોને તે રીતે સ્થિર કરી દેવાં જોઈએ, કે યાવત્ પ્રવૃત્તિ કાળમાં વ્રતની મર્યાદા બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત રહે. (૨) અંગીકાર કરેલા વ્રતમાં બહુમાનથી - સ્વીકારાયેલાં વ્રતોમાં બહુમાનથી સદા યત્ન કરવો જોઈએ. અર્થાત્ “સર્વવિરતિની પ્રાપ્તિના કારણરૂપ આ દેશવિરતિનાં વ્રતો છે, અને તેથી સમ્યગુ રીતે તેના સેવનથી ક્રમસર સંપૂર્ણ અભિવૃંગ વગરનું ઉત્તમ ચિત્ત પેદા થશે” તે પ્રકારના બહુમાનથી ગ્રહણ કરાયેલાં વ્રતોમાં ચિત્તનો પ્રતિબંધ ધારણ કરીને અત્યંત યત્ન કરવો જોઈએ. આવા પ્રયત્નથી વ્રતપાસનકાળમાં જ ધીરેધીરે બાહ્ય પદાર્થો પ્રત્યેનો પ્રતિબંધ ક્ષીણ ક્ષીણતર થાય છે અને ગુણો પ્રત્યે પ્રતિબંધ તીવ્ર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy