________________
૧૮૮
0 શ્રાવકધર્મવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન - વિધિપૂર્વક વ્રતના ગ્રહણાદિથી દેશવિરતિનો પરિણામ પ્રગટે છે એવું કહ્યું તેનો ભાવ એ છે કે, કોઈ જીવને તીવ્ર સંવેગપૂર્વક દેશવિરતિ ધર્મ સાંભળતો હોય ત્યારે જ ભાવથી વિરતિનો પરિણામ પ્રગટે છે, જયારે અન્ય કોઈ જીવને વારંવાર ચિંતન કરવાથી વિરતિનો પરિણામ પ્રગટે છે. આમ છતાં, તે પ્રગટ થયેલો વિરતિનો પરિણામ ઉત્તરમાં વ્રતોના ગ્રહણ અને પાલનથી જ ટકી શકે. અને કોઇકને વ્રતગ્રહણકાળમાં વ્રતઉચ્ચારણના સૂત્ર અને અર્થમાં ઉપયોગના બળથી તે વિરતિનો પરિણામ પ્રગટે છે, તો કોઇક જીવને વ્રત ગ્રહણ કર્યા પછી તેનું તે પ્રકારે નિરતિચાર પાલન કરવાથી તે પરિણામ પ્રગટે છે. તે પરિણામ પ્રગટ થવામાં અંતરંગ કારણ સાતે કર્મની સ્થિતિનો બ્રાસ છે.
દેશવિરતિ કોઇકને સાતિચાર પણ હોય છે. આમ છતાં, અહીં નિરતિચાર પાળે છે તેમ કહ્યું, તેથી એ કહેવું છે કે, વ્રતના પરિણામ માટે નિરતિચાર પાલન જ આવશ્યક છે, છતાં ક્યારેક અતિચાર થઇ જાય તો પણ તેની શુદ્ધિ માટે પ્રયત્ન કરનારને જ ભાવથી વ્રતનો પરિણામ થઈ શકે છે. I૯-૫/JI
અવતરણિકા :
પાંચમી ગાથામાં બતાવેલ કે, કર્મોની સ્થિતિનો અપગમ વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવા આદિથી થાય છે. તેથી “આદિ શબ્દથી એ પ્રાપ્ત થાય કે માત્ર વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી કર્મની સ્થિતિનો હ્રાસ થતો નથી, પરંતુ વિધિપૂર્વક વ્રત ગ્રહણથી પણ થાય છે અને ગ્રહણ કર્યા પછી સમ્યગુ પાલનથી પણ થાય છે. છઠ્ઠી ગાથામાં ગ્રહણ અને પાલનની વિધિ બતાવી. હવે તે કર્મસ્થિતિનો હ્રાસ વિધિગ્રહણાદિથી થાય છે એમ કહ્યું, તેનો ફલિતાર્થ બતાવે છે
एसो ठिइओ इत्थं न उ गहणादेव जायई नियमा । गहणोवरिं पि जायइ जाओ वि अवेइ कम्मुदया ॥७॥ एष स्थितेरित्थं न तु ग्रहणादेव जायते नियमात् । ग्रहणोपर्यपि जायते जाताप्यपैति कर्मोदयात् ॥७।। तम्हा निच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइयालोयणेणं च ॥८॥ तस्मान्नित्यस्मृत्या बहुमानेन चाधिगतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणतिकाऽऽलो चनेन च ॥८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org