________________
૧૮૭
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન 0 શ્રાવકધર્મવિશિકા ] છે, પાત્રરૂં ય ત નિરરૂયા અને તે પ્રકારે નિરતિચાર પાલન કરે છે. તેનાથી તે કર્મોનો અપગમ થાય છે).
ગાથાર્થ :
સમ્યક્તની પ્રાપ્તિ પછીથી પલ્યોપમ પૃથક્વ કર્મોનો અપગમ થયે છતે શ્રાવકધર્મ થાય છે. સંસારમાં ખરેખર તે અપગમ પણ વિધિગ્રહણાદિથી થાય છે અને તે વિધિગ્રહણાદિને જ નહીથી બતાવે છે.
ગુરુ પાસે શ્રુતધર્મવાળો, સંવિજ્ઞ એવો કોઇક ઇત્વરકાલિક અથવા યાવત્કાલિક વ્રતોને ગ્રહણ કરે છે, અને તે પ્રકારે નિરતિચાર પાલન કરે છે, તેનાથી તે કર્મોનો અપગમ થાય છે.
ભાવાર્થ :
સમ્યક્તની પ્રાપ્તિ પછી સમ્યક્તકાળમાં વર્તતા કર્મની સ્થિતિ કરતાં જ્યારે કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથક્વઘટે, ત્યારે દેશવિરતિનો પરિણામ પ્રગટે છે. દેશવિરતિ પણ તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે. તે દરેક ભૂમિકામાં કર્મની અધિક અધિક સ્થિતિનો અપગમ કારણ છે. જો કે તે વખતે દેશવિરતિ માટે આવશ્યક એવો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ પ્રગટે છે, પરંતુ તે ક્ષયોપશમભાવની સાથે અવિનાભાવી જે કર્મસ્થિતિનો હ્રાસ થાય છે, તેની જ અપેક્ષાએ અહીં વિવક્ષા કરવામાં આવી છે.
તે સ્થિતિના અપગમ પ્રત્યે કયા પ્રકારનો પ્રયત્ન કારણ છે તે બતાવતાં કહે છે કે, વિધિપૂર્વક વ્રતના ગ્રહણાદિના યત્નથી કર્મની સ્થિતિનો અપગમ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવે પહેલાં સમ્યક્ત પ્રાપ્ત કરવા યત્ન કરવો જોઇએ, અને સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી દેશવિરતિનાં વ્રતોના સ્વરૂપને જાણીને વિધિપૂર્વક તે વ્રતોને ગ્રહણ કરવાં જોઇએ. આવો અંતરંગ પ્રયત્ન દેશવિરતિના પરિણામને પ્રગટ કરે છે અને તેનાથી જ કર્મની સ્થિતિ ઘટે છે.
છઠ્ઠી ગાથામાં વિધિપૂર્વક ગ્રહણ આદિ શું છે તે બતાવતાં કહે છે કે, જે જીવે ગુરુ પાસે દેશવિરતિનું સ્વરૂપ સારી રીતે ધારણ કર્યું હોય તેવો જીવ, તીવ્ર સંવેગપૂર્વક ઇવરકાલિક કે માવજીવ વ્રતોનું ગ્રહણ કરે, અને ગ્રહણ કર્યા પછી જે પ્રમાણે ગુરુ પાસે વ્રતો અને વ્રતોના અતિચારો સાંભળ્યા હોય તે જ પ્રમાણે નિરતિચાર પાલન કરે, તેવા જીવની કર્મની સ્થિતિ ઘટે છે અને તેનામાં દેશવિરતિનો પરિણામ પ્રગટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org