________________
0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૮૪ યુક્ત હોય છે. તેનાથી અનાભોગાદિથી પણ ક્યાંય વિપરીત બોધ થયો હોય કે પોતાનાથી વિપરીત પ્રવૃત્તિ થતી હોય, તો શ્રદ્ધા હોવાના કારણે જ યોગ્ય ગુરુ દ્વારા તે પ્રજ્ઞાપનીય હોય છે. શ્રાવકોને ઉચિત દાનાદિ ક્રિયાઓ કરવામાં હંમેશાં તે તત્પર હોય છે. વળી તત્ત્વનો તીવરાગ હોવાને કારણે તે ગુણો પ્રત્યે રાગી હોય છે અને આથી જ તે ગુણ વિકસાવવાનું કારણ બને તે રીતે જ ક્રિયા કરવામાં યત્નવાળો હોય છે.
શ્રાવક હંમેશાં વિચારક અને પ્રાયઃ દીર્ધદષ્ટિવાળો હોય છે, તેથી શક્યનો આરંભ કરનાર હોય છે. જે ક્રિયાઓમાં સભ્ય યત્ન કરવાથી અવશ્ય ગુણની વૃદ્ધિ થાય છે, તે ક્રિયાઓમાં પ્રયત્ન કરવો તેને શક્યનો આરંભ કહેવાય. અશક્યનો આરંભ કરવામાં આવે તો ક્વચિત્ બાહ્ય ક્રિયા તે પ્રમાણે થઈ હોય તો પણ તે ક્રિયા ગુણવૃદ્ધિનું કારણ ન બને. વળી અશક્ય પ્રવૃત્તિનો આરંભ કરનાર અશક્યમાં યત્ન કરતો હોય, એટલે પોતાનાથી જે શક્ય હોય તેમાં પણ તે યત્ન કરી શકે નહીં, એથી બંને પ્રવૃત્તિના ફળથી તે વંચિત રહે છે. વળી, શક્યમાં પણ જો શક્તિ ગોપવીને યત્ન કરાય તો તે પ્રવૃત્તિ સાનુબંધ ફળવાળી બનતી નથી. તેથી વિવેકસંપન્ન શ્રાવક સ્વશક્તિનું સમ્યફ સમાલોચન કરીને પ્રાયઃ કરીને શક્તિને ગોપવ્યા વગર સર્વત્ર ઉચિત પ્રયત્ન કરનાર હોય છે. દેશચારિત્રી શ્રાવક આ સર્વે ગુણોથી યુક્ત હોય છે. IC-શા
અવતરણિકા -
બીજી ગાથામાં શ્રાવકના સ્વરૂપને બતાવતાં કહ્યું કે, તે દેશચારિત્રી હોય છે, તેથી હવે તે દેશચારિત્રીના બાર વ્રતોનું નામ માત્રથી સ્વરૂપ બતાવે છે
पंच य अणुव्वयाइं गुणव्वयाइं च हुंति तिन्नेव । सिक्खावयाइं चउरो सावगधम्मो दुवालसहा ॥३॥ पञ्च चाणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीण्येव । शिक्षाव्रतानि चत्वारि श्रावकधर्मो द्वादशधा ॥३॥
અન્વયાર્થ :
પં ય મનુબ્રાહું પાંચ અણુવ્રતો, ગુણવ્યથાઉં વ તિન્ન ત્રણ ગુણવ્રતો અને સિવિયાડું ઘડરો ચાર શિક્ષાવ્રતો (એમ) યુવત્રિસરી વિ વિઘો હૃતિ બાર પ્રકારનો જ શ્રાવકધર્મ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org