________________
૧૮૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકા / અહીં ‘ભાવથી શુદ્ધચિત્ત'માં “ભાવ” શબ્દથી ક્ષયોપશમભાવ ગ્રહણ કરવાનો છે અથવા તો “ભાવ” શબ્દથી પરમાર્થથી શુદ્ધચિત્તવાળો ગ્રહણ કરવાનો છે. એટલે ખાલી આચરણવાળો નહીં, પણ ભગવાનનું વચન સમ્યક્ પરિણમન પામ્યું હોય તેવા શુદ્ધચિત્તવાળો ભાવશ્રાવક હોય છે.JI૯-૧પ
અવતરણિકા -
પહેલી ગાથામાં કહ્યું કે શ્રાવક ભાવથી શુદ્ધચિત્તવાળો હોય છે. તે બતાવવા માટે જ ભાવશ્રાવકનું અંતરંગ ચિત્ત કેવું હોય છે તે બતાવતાં કહે છે
मग्गणुसारी सड्ढो पन्नवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभसंगओ देसचारित्ती ॥२॥ HTનુસાર શ્રાદ્ધ: પ્રજ્ઞાપનીય ક્રિયાપરવ | गुणरागी शक्यारम्भसंगतो देशचारित्री ॥२॥
અન્વયાર્થ:
મનુસરીમાર્થાનુસારી=સૂક્ષ્મ બોધપૂર્વક આગમને પરતંત્ર થવાની મતિવાળો, સો શ્રદ્ધાળુ (આથી કરીને જ), પન્નવાળો પ્રજ્ઞાપનીય, ક્રિયાપર ક્રિયામાં તત્પર, ગુરાની ગુણાનુરાગી વેવ અને સામસંગ શક્ય આરંભથી યુક્ત સેલવારિત્તી દેશચારિત્રી છે.
૯ અહીં વેવ સમુચ્ચય અર્થમાં છે અને બધાની સાથે જોડાયેલ છે.
ગાથાર્થ :
દેશચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, આથી કરીને જ પ્રજ્ઞાપનીય, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી, અને શક્ય આરંભથી યુક્ત હોય છે.
ભાવાર્થ
દેશવિરતિ શ્રાવક ભાવમાર્ગને અનુસરનારી પરિણતિવાળો હોય છે, જ્યારે અપુનબંધકાદિમાં સ્થૂલથી માર્ગનુસારિતા હોય છે અને તેથી તેઓ દ્રવ્યમાર્ગને અનુસરનારા હોય છે. વળી દેશવિરતિ શ્રાવક સર્વજ્ઞના વચનમાં તીવ્ર રુચિરૂપ શ્રદ્ધાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org