________________
7 પૂજાવિધિવિંશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
तम्हा जिणाण पूया बुहेण सव्वायरेण कायव्वा । परमं तरंडमेसा जम्हा संसारजलहिम्मि ૫£૫ तस्माज्जनानां पूजा बुधेन सर्वादरेण कर्तव्या 1 परमं तरण्डमेषा यस्मात्संसारजलधौ ||o||
અન્વયાર્થ ઃ
તદ્દા તે કારણથી–ગાથા-૧૭ અને ગાથા-૧૮માં ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવ્યું તે કારણથી, ખિભાળ પૂયા ભગવાનની પૂજા વુડ઼ેળ બુધે સાયરે વ્હાય∞ા સર્વ આદ૨થી કરવી જોઇએ, નન્હા જે કારણથી સંસારનિિમ્મ સંસારરૂપી સમુદ્રમાં પરમં તરંઙમે આ શ્રેષ્ઠ નૌકા છે.
૧૮૦
ગાથાર્થ ઃ
ગાથા-૧૭ અને ગાથા-૧૮માં ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવ્યું તે કારણથી, ભગવાનની પૂજા બુદ્ધિશાળી વ્યક્તિએ સર્વઆદરથી કરવી જોઇએ, કારણ કે સંસારરૂપી સમુદ્રમાં આ શ્રેષ્ઠ નૌકા છે.
ભાવાર્થ :
ભગવાનની પૂજા અક્ષયભાવને કરનારી છે અને અક્ષયભાવમાં મળેલો ભાવ નક્કી વીતરાગ ભાવ પ્રાપ્ત કરાવે છે, તે કારણથી તત્ત્વના જાણકાર એવા બુદ્ધિશાળી આત્માએ તો ભગવાનની પૂજા સર્વઆદરપૂર્વક કરવી જોઇએ.
પૂજા સર્વઆદરપૂર્વક કરવી જ જોઇએ એવું કહેવાનો આશય એ છે કે, જે જીવને ભગવાન પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ હોય છે, તેને ભગવાનના વચન પ્રત્યે આદર હોય છે, અને તેથી તે પૂજાનું વર્ણન કરનારાં અને પૂજાની વિધિને બતાવનારાં ભગવાનનાં વચનો યોગ્ય ગુરુ પાસેથી વાચના અને પૃચ્છના દ્વારા જાણીને પરાવર્તના દ્વારા સારી રીતે સ્થિર કરે, અને પૂજા કરતાં પહેલાં પૂજાની અત્યંત ઉપાદેયતાને બુદ્ધિમાં લાવીને અનુપ્રેક્ષાપૂર્વક પૂજામાં યત્ન કરે, તો તે પૂજા સર્વઆદરથી કરાયેલી ગણાય. આ પ્રકારે સર્વઆદરપૂર્વક પૂજા કરનાર વ્યક્તિ, જેમ અંતરંગ પરિણામમાં યત્ન કરે તેમ શક્તિને અનુરૂપ સામગ્રીની શુદ્ધિમાં પણ સમ્યગ્ યત્ન કરે, અને આ રીતે કરાયેલી પૂજા સંસારસમુદ્રમાં તરવાનું પરમ સાધન બને છે. કેમ કે પૂજાકાળમાં વર્તતો ઉપયોગ જીવને વીતરાગભાવ તરફ લઇ જવાનું કારણ બને છે. તેથી વિશિષ્ટ ભાવનો પ્રકર્ષ ન થાય તો પણ ચારિત્રમોહનીય અવશ્ય શિથિલ થાય છે જ. ભાવનો પ્રકર્ષ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org