________________
૧૭૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0. વિશેષ ફળ થાય છે તે બતાવવું છે. તે રીતે જ ગુરુકારિતને વિધિકારિતમાં પણ સમજવું.il૮-૧૫ll.
અવતરણિકા -
આ રીતે પૂર્વ ગાથાઓમાં સ્વપરિણામને આશ્રયીને ત્રણ પ્રકારની શ્રાવકની પૂજા બતાવી, પૂજાના ભેદોને આશ્રયીને પૂજા બતાવી, સામગ્રીની શુદ્ધિ બતાવી અને ત્યારપછી પ્રતિમાને આશ્રયીને પૂજાની વિશિષ્ટતા બતાવી. હવે તે સર્વને જાણીને શક્તિને અનુરૂપ પૂજા માટે યત્ન કરે તો શું ફળ પ્રાપ્ત થાય તે બતાવતાં કહે છે
एवं कुणमाणाणं एयां दुरियक्खओ इहं जम्मे । परलोगम्मि य गोरवभोगा परमं च निव्वाणं ॥१६॥ एवं कुर्वतामेतां दुरितक्षय इह जन्मनि । परलोके च गौरवभोगाः परमं च निर्वाणम् ॥१६।।
અન્વયાર્થ :
પર્વ આ પ્રમાણે કયાં સુળમાપIUM આને=પૂજા કરતા જીવોને રૂદંગણે આ જન્મમાં કુરિયરવોદુરિતનો ક્ષય થાય છે રત્નોમિયઅને પરલોકમાંગોરવમો શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે પરí a નિવ્યાપ અને પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
ગાથાર્થ :
આ પ્રમાણે પૂજા કરતા જીવોને આ જન્મમાં દુરિતનો ક્ષય થાય છે અને પરલોકમાં શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે અને પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ -
પૂર્વ ગાથાઓમાં જે પૂજાનું સ્વરૂપ બતાવ્યું એ પ્રમાણે પૂજા કરનારને આ ભવમાં પાપનો ક્ષય થાય છે, અર્થાત્ આ ભવમાં જ વિપાકમાં આવે તેવી જે પાપપ્રકૃતિઓ વિદ્યમાન હતી તેનો નાશ થાય છે. તેથી પૂજાને કારણે સંસારમાં ઘણા પ્રકારની પ્રતિકૂળતા પ્રાપ્ત થાય તેવાં પાપકર્મોના ઉદય થવાના સંયોગો હતા તેનાથી જીવ રક્ષિત થઈ જાય
વળી પૂજા કરવાથી થયેલા ઉત્તમ અધ્યવસાયને કારણે જન્માંતરમાં શ્રેષ્ઠ ભોગો
V-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org