________________
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
उवयारंगा इह सोवओगसाहारणाण इट्ठफला 1 किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्वति ॥ १५ ॥ उपचाराङ्गा इह सोपयोगसाधारणानामिष्टफला किंचिद्विशेषेण ततः सर्वे ते विभाजयितव्या इति ॥ १५ ॥
1
7 પૂજાવિધિવિંશિકા
અન્વયાર્થ :
હૈં અહીં=શ્રાવકની પૂજામાં વોયસાહારાī ઉપયોગસાધારણ એવા જીવોની િિત્ત વિસેળ કંઇક વિશેષથી વયારા ઉપચાર અંગવાળી સા તે=પૂજા (કંઇક વિશેષથી) રૂદ્રુપતા ઇષ્ટફળવાળી થાય છે. તો તેથી કરીને સત્ત્વે સર્વ તે તે=ઉપચાર અંગો વિમયવ્વ વિભાગ કરવા લાયક છે.
ત્તિ પાદપૂર્તિ માટે છે.
૧૭૬
ગાથાર્થ ઃ
શ્રાવકની પૂજામાં ઉપયોગસાધારણ એવા જીવોની, એટલે કે ભગવાનની ભક્તિનો ઉપયોગ સમાન છે એવા જીવોની, કંઇક વિશેષથી ઉપચાર અંગવાળી પૂજા, કંઇક વિશેષથી ઇષ્ટફળવાળી છે. તેથી કરીને ત્રણે ઉપચાર અંગો વિભાગ કરવા લાયક છે, એટલે કે કોઇ અપેક્ષાએ વિશેષ નિર્જરાનાં કારણ છે તો કોઇ અપેક્ષાએ નથી એ રૂપ વિભાગ કરવા યોગ્ય છે.
ભાવાર્થ :
જે જીવને આ સર્વ પ્રતિમાઓ વીતરાગ-સર્વજ્ઞની છે, તેથી સર્વ પ્રતિમાઓ મારે પૂજનીય છે એ પ્રકારનો સામાન્ય ઉપયોગ વર્તતો હોય, પરંતુ સર્વ પ્રતિમાઓ પ્રત્યે પૂજ્યભાવ હોવા છતાં સ્વયંકારિતા આદિ પ્રતિમા પ્રત્યે વિશેષ ભાવ ઉલ્લસિત થતો હોય, તો તે જીવને તે પ્રતિમાની વિશેષ પ્રકારની અંગરચના આદિ પ્રવૃત્તિ કરવા દ્વારા ભક્તિભાવના ઉલ્લાસના અતિશયકૃત વિશેષ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ પ્રતિમા મારાથી કરાયેલી છે, તેથી તેના પ્રત્યે જ પક્ષપાત હોય અને બીજી પ્રતિમાઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ હોય, તો તે પ્રતિમા અન્ય પ્રતિમા પ્રત્યે થતા અનાદરને કારણે કર્મબંધનું કારણ પણ બને છે. આથી જ ગ્રંથકાર કહે છે કે સ્વયંકારિત આદિ પ્રતિમાની પૂજાથી થનારા ભાવોની ભજના છે. બે શ્રાવકો સમાન ઉપયોગથી ભક્તિ કરતા હોય અને એકને આ મારાથી કરાયેલ પ્રતિમા છે તેથી વિશેષ આંગી કરે તેના કારણે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org