________________
7 પૂજાવિધિવિંશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૭૪
વિધિવાળી પ્રતિમાની પૂજા પણ અપવાદથી ઇષ્ટ જ છે. “સ્વયં બનાવાયેલી કે પોતાના વડીલોથી બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુફલવાળી થાય છે” એવું કહેનારાં વચનો વિકલ્પરૂપે છે. આથી જ સ્વયં કે પોતાના વડીલથી બનાવાયેલી પ્રતિમા જો ભાવવૃદ્ધિનું કારણ બનતી હોય તો અન્ય પ્રતિમા કરતાં વિશેષ ફળનું કારણ બને છે અને જો ભાવવૃદ્ધિના બદલે કલહનું કારણ બનતી હોય તો તેવી પ્રતિમાની પૂજા દોષરૂપ પણ બને છે. એ પ્રકારનો વૈકલ્પિક અર્થ ઉપાધ્યાયજીએ પ્રતિમાશતકની ગાથા-૭૧ની ટીકામાં કરેલ છે અને ગ્રંથકારે પણ આગળ પંદરમી ગાથામાં કરેલ છે.
અહીં વિશિષ્ટ વિધિકારિત પ્રતિમા પ્રાપ્ત થવા માત્રથી ફળ વિશેષ થતું નથી, પરંતુ આ પ્રતિમા વિશિષ્ટ વિધિથી કરાયેલી છે એ પ્રકારના બોધને કારણે ભક્તિનો પ્રકર્ષ થાય તો ફળ વિશેષ થાય.II૮-૧૩]]
અવતરણિકા :
તેરમી ગાથામાં પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમામાં પણ સ્વયંકારિતાદિ કૃત ફળભેદ અન્ય અન્ય મતો પ્રમાણે છે તે બતાવ્યું. હવે બાહ્ય સામગ્રીનો અભાવ હોય, અને ભગવાનની ભક્તિ કરવા માટે જિનેશ્વરદેવની પ્રતિમા પણ ન હોય ત્યારે, ભગવાનની ભક્તિ કરનાર શ્રાવક મન દ્વારા સ્થાપના કરીને કઇ રીતે ભગવાનની ભક્તિ કરી શકે તે બતાવતાં કહે છે
थंडिले वि हु एसा मणठवणाए पसत्थिगा चेव । आगासगोमयाई हि इत्थमुल्लेवणाइहिं ॥૪॥ स्थण्डिलेपि खलु एषा मनःस्थापनायाः प्रशस्तिका 1 आकाशगोमयादिभिः इत्थमुपलेपनादिभिः ૫૬૪||
અન્વયાર્થ :
રૂત્યમ્ આ રીતે–તેરમી ગાથામાં કહ્યા પ્રમાણે સ્વયંકારિતા આદિ પ્રતિમાઓની પૂજા જેમ બહુફળવાળી છે એ રીતે, સોમયારૢિઆકાશગોમયાદિ દ્વારા=જમીન ઉપર પડેલ પણ ગાયનું છાણ ઉપર ઉપ૨થી ગ્રહણ કરેલ હોય જે આકાશમાં અદ્ધર હોય તે ગ્રહણ કરીને તેના દ્વારા છેવાહિઁ ઉપલેપન આદિથી થંડિÈવિ શૃંડિલમાં=શુદ્ધ ભૂમિમાં પણ મળતવાર્ મન દ્વારા કરાયેલી સ્થાપનાની સા આ=પૂજા પરસ્થિ વેવ પ્રશસ્ત જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org