________________
7 પૂજાવિધિવિંશિકા – વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ :
ભાવથી સંયમધારી મુનિ પ્રાયઃ કરીને ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે, તેથી કોઇપણ પ્રવૃત્તિ કરતાં તેઓનું માનસ ભગવાનના વચનમાં સંલગ્ન હોય છે. તેથી સંયમીની દરેક પ્રવૃત્તિ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહેવાય છે. તેમ ગૃહસ્થ પણ જ્યારે ઉપયોગપૂર્વક ભગવાનની પૂજા કરે છે ત્યારે, તેમનું માનસ પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન સમયના જાણનારાઓ કહે છે, કેમ કે ભગવાનની પૂજાથી ઇષ્ટ અર્થ સંસારનો ઉચ્છેદ છે અને તે ઇષ્ટ અર્થને સાધનારી ગૃહસ્થની પૂજા હોય છે.
૧૭૦
અહીં વિશેષ એ છે કે, અપુનર્બંધક સ્થૂલ બોધ પ્રમાણે પૂજાકાળમાં સંલગ્નમાનસવાળા હોય છે, સમ્યગ્દષ્ટિ સૂક્ષ્મ બોધપૂર્વક સંલગ્નમાનસવાળો હોય છે, ઉત્તરગુણધારી શ્રાવક કાયગુપ્તિ સહિત સંલગ્નમાનસવાળો હોય છે અને પરમશ્રાવક અત્યંત અપ્રમાદભાવપૂર્વક પરમાત્મભાવ સાથે સંલગ્નમાનસવાળા હોય છે. તેથી તેઓની તે પૂજાની ક્રિયા પોતપોતાની ભૂમિકા પ્રમાણે સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહેવાય છે, અને આથી જ તે દરેક પૂજા ક્રમે કરીને ઇષ્ટ અર્થ એવા મોક્ષનું સાધન બને
છે.
‘‘વસ્થુલહાવો ધમ્મો’’ પ્રમાણે વાસ્તવિક રીતે તો ધર્મ શબ્દનો મૂળ અર્થ સ્વભાવ થાય છે. આ સ્વભાવરૂપ ધર્મ જીવ સિદ્ધઅવસ્થામાં જ પ્રાપ્ત કરે છે. પરંતુ તે પ્રાપ્ત કરાવવામાં કારણરૂપ મોક્ષમાર્ગને પણ ધર્મ કહેવાય છે. આ ધર્મ જીવને દુર્ગતિમાં પડતાં રક્ષણ કરે છે અને સદ્ગતિમાં સ્થાપન કરે છે અને યાવત્ મોક્ષમાં પહોંચાડે છે. તે ધર્મ તરતમતાની અપેક્ષાએ ઘણી ભૂમિકાવાળો હોય છે, તેથી તેને અહીં ધર્મસ્થાન કહેલ છે. તેથી અપુનર્બંધક આદિ જ્યારે પરમાત્માની પૂજામાં સ્વબોધને અનુરૂપ ઉપયોગવાળા હોય છે ત્યારે તેમની પૂજાની ક્રિયાને પણ સમયના જાણનારાઓ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહે છે.II૮-૧૦૧
અવતરણિકા :
ભૂમિકાના ભેદથી ત્રણ પ્રકારની પૂજા બતાવ્યા પછી, તે પૂજામાં વર્તતા ઉત્તમ ભાવોનું સ્વરૂપ નવમી અનેં દસમી ગાથામાં બતાવ્યું. હવે તે પૂજાના પ્રકારો બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org