________________
૧૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0 पंचट्ठसव्वभेओवयारजुत्ता य होइ एस त्ति । जिणचउवीसाजोगोवयारसंपत्तिरूवा य ॥११॥ पंचाष्टसर्व भेदोपचारयुक्ता च भवति एषेति । जिनचतुर्विशिकायोगोपचारसंपत्तिरूपा च ॥११।।
અન્વયાર્થ :
અ ય અને આ=દ્રવ્યપૂજા પંઘનશ્વમેવારનુત્તા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારથી યુક્ત ય અને નિકવીસાનો વધારસંપત્તિરૂવી ચોવીસ જિનના અયોગ વખતે ઉપચારની પ્રાપ્તિરૂપ હો હોય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ -
આ દ્રવ્યપૂજા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારથી યુક્ત અને ચોવીસ જિનના અયોગ વખતે ઉપચારની પ્રાપ્તિરૂપ હોય છે.
ભાવાર્થ :
આ દ્રવ્યપૂજા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારવાળી અનેક પ્રકારની છે. જે વખતે ચોવીસે તીર્થકરોનો વિરહકાળ હોય તે વખતે, જિનપ્રતિમાની પૂજાથી જ તેમના ઉપચાર વિનયની પ્રાપ્તિ થઈ શકે છે.
સાક્ષાત્ તીર્થકરો વિચરતા હોય ત્યારે પણ સ્થાપના નિક્ષેપાની પૂજા કરીને ભગવાનની પૂજા કરવાનો શાસ્ત્રીય વ્યવહાર છે. તે પણ ત્યારે સાક્ષાત્ તીર્થંકરની સામે નૃત્યાદિ કરીને પણ ઉપચાર વિનય થઈ શકે છે, જ્યારે તીર્થંકરના વિરહમાં તો પ્રતિમાની પૂજાથી જ તે થઈ શકે છે. માટે બાહ્ય દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને કર્મનાશને અનુકૂળ આત્માના ભાવોને પ્રગટ કરવા માટે એ ઉપચાર વિનય કહેવાય છે.I૮-૧૧TI
અવતરણિકા:
દસમી ગાથામાં પૂજાના પ્રકારો બતાવ્યા. હવે પૂજા નિમિત્તે વપરાતાં દ્રવ્યોની શુદ્ધિ બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org