SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Uપૂજાવિધિવિંશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૬૮ સંપ્રાપ્તબીજવાળા છે તેઓનો આ સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર છે. કેમ કે ગુણવાનને ગુણવાનરૂપે જોઈને તેઓ પ્રત્યે ભક્તિનો ભાવ તેમને પ્રગટ્યો છે. યદ્યપિ અપુનબંધકને તે સાધુયોગાદિભાવો તેવા સાનુબંધ નથી હોતા, તો પણ તેની ભૂમિકા પ્રમાણે તે ભવસ્થિતિનો નાશ કરનાર છે; જયારે સમ્યગ્દષ્ટિ આદિના તે સાધુયોગાદિભાવો વિશેષ પ્રકારે સંસારની સ્થિતિનો ઉચ્છેદ કરનારા હોય છે; કેમ કે જેમ જેમ ગુણવાનને ગુણવાનરૂપે જોઇને તેમની ભક્તિમાં તેઓ યત્ન કરે છે, તેમ તેમ તેમની સંસારને ચલાવનાર અનુબંધશક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે, અને તેથી સંસારની સ્થિતિ અલ્પ અલ્પતર બને છે. વળી આ સાધુયોગાદિભાવ મહાપથની વિશુદ્ધિ કરનાર છે. અહીં મહાપથથી મોક્ષમાર્ગસ્વરૂપ અસંગઅનુષ્ઠાન ગ્રહણ કરવાનું છે. સંપ્રાપ્તબીજવાળા જીવો જયારે વીતરાગને વીતરાગરૂપે જાણીને પૂજા કરે છે, ત્યારે તેઓને વીતરાગ અસંગભાવની નિષ્ઠારૂપ દેખાય છે; અને તેમના પ્રત્યે પૂજાકાળમાં વધતો જતો અહોભાવ અસંગભાવના પ્રતિબંધક કર્મોનો નાશ કરે છે. તેથી તે જ ભવમાં કે જન્માંતરમાં સંયમની પ્રાપ્તિ દ્વારા ક્રમસર અસંગભાવની પ્રાપ્તિ અને અસંગઅનુષ્ઠાનની નિષ્ઠારૂપ વીતરાગતા તેમને પ્રાપ્ત થાય છે. આ સાધુયોગાદિભાવ જીવના “પરમ નિજવીર્યના ઉલ્લાસ” સ્વરૂપ છે. તેનું તાત્પર્ય એ છે કે, અત્યાર સુધી જીવનો વર્ષોલ્લાસ સંસારના ભાવોમાં જ વર્તતો હતો, અને ક્વચિત્ આ સાધુયોગાદિભાવરૂપ નિમિત્તને પામીને સામાન્ય રીતે પરલોકની ચિતાને કારણે ધર્મ કરવાની વૃત્તિવાળો બને છે. જ્યારે અપુનબંધક પોતાના સ્થૂલ બોધ પ્રમાણે વીતરાગને વીતરાગરૂપે ઓળખીને તેમની ભક્તિમાં સમ્યગૂ યત્નવાળો હોય છે, સમ્યગ્દષ્ટિ પોતાના સૂક્ષ્મ બોધ પ્રમાણે વીતરાગને વીતરાગરૂપે જાણીને તેમની ભક્તિમાં ઉપયોગવાળો છે, ઉત્તરગુણધારી શ્રાવક આગમને પરતંત્ર રહીને ભગવદ્ ભક્તિમાં ઉપયોગવાળો હોય છે, પરમશ્રાવક અપ્રમાદભાવના પ્રકર્ષથી ભગવદ્ ભક્તિમાં ઉપયોગવાળો હોય છે. તે બધાની ભગવાનની ભક્તિનો ઉપયોગ શ્રેષ્ઠ કોટિનો અને નિજવીર્યના ઉલ્લાસરૂપ છે, અને તેથી ક્રમસર કર્મોનો ક્ષય કરીને ઉત્તરોત્તર વિશેષ વિશેષતા યોગને તેઓ પ્રાપ્ત કરે છે.II૮-૯TI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy