________________
૧૬૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાઓ પ્રથમ કક્ષાની સમાધિ હોય છે. સમાધિ એટલે કષાયોના અપગમથી થયેલી ચિત્તની સ્વસ્થતા. આ પ્રથમ સમાધિમાં ગુણવાનને ગુણવાનરૂપે ઓળખવામાં બાધક બને એવું મન અને ઇન્દ્રિયોનું ચાંચલ્ય નથી હોતું. આ સમાધિથી જ તે ગુણવાનને ગુણવાનરૂપે જાણી શકે છે. કારણ કે જયાં સુધી પોતાનામાં કષાયોની અલ્પતા આવતી નથી ત્યાં સુધી જીવ બીજાના પારમાર્થિક ગુણોને તે સ્વરૂપે ઓળખી શકતો નથી. આ સમાધિના કારણે સમ્યગ્દષ્ટિ જીવ ગુણવાન એવા ભગવાનને સૂક્ષ્મબુદ્ધિથી ઓળખી શકે છે, અને તેથી સમ્યગ્દષ્ટિને યોગાવંચક્યોગ હોય છે. આ સમ્યગ્દષ્ટિ આત્મા પરમાત્માને ગુણવાનરૂપે ઓળખીને તેમની જ પૂજાની ક્રિયા કરે છે, તે પ્રથમ અવંચકયોગથી પ્રથમ સમંતભદ્રા નામની કાયયોગપ્રધાન પ્રથમ પૂજા હોય છે.
બીજા ક્રિયાવંચક્યોગમાં ક્રિયા જીવને ઠગનારી નથી હોતી, અર્થાત્ આ યોગમાં ક્રિયા દ્વારા નિષ્ણાઘ ચોક્કસ પરિણામો ક્રિયાથી અવશ્ય પેદા થાય છે.
ઉત્તરગુણધારી શ્રાવકને અપ્રત્યાખ્યાનીય કષાયનો પણ ક્ષયોપશમ હોય છે. તેથી તેનામાં દેશથી ગુપ્તિનો પરિણામ પણ હોય છે. મૂળગુણધારી શ્રાવકને દેશથી ગુપ્તિ સંભવે નહીં, કારણ કે ગુપ્તિ ઉત્તરગુણ છે. તેથી જ અહીં ઉત્તરગુણધારી શ્રાવક ગ્રહણ કરેલ છે. દેશગુપ્તિવાળો ઉત્તરગુણધારી શ્રાવક આગમને પરતંત્ર રહીને ક્રિયા કરી શકે છે; અને તેથી જ તે ક્રિયા કરવાથી જે જે પરિણામો અપેક્ષિત હોય, તે તે પરિણામો ઉત્તરગુણધારી શ્રાવકને પેદા થાય છે. તેથી જ તેની ક્રિયા અવંચક હોય છે. આવા શ્રાવકની પૂજાની જે ક્રિયા હોય છે તે બીજા ક્રિયાવંચકયોગથી થનારી બીજી સર્વમંગલા નામની વાક્રિયા પ્રધાન બીજી પૂજા હોય છે.
ત્રીજો અવંચક્યોગ ફલાવંચક્યોગ છે. ગુણવાનના યોગથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આ તત્ત્વની પ્રાપ્તિ એ જ ગુણવાનના યોગનું ફળ છે. આ ફળ જેને સમ્યગુ પરિણમન પામે તેને ફલાવંચકયોગ હોય છે. કોઈ વ્યક્તિને જયારે ગુણવાન એવા પરમાત્માનો યોગ થતાં, ઉપદેશ દ્વારા પરમાત્મા જે તત્ત્વ આપે ત્યારે તે તત્ત્વ તે જ ભાવથી જો તેનામાં પરિણમન પામે, તો તે વ્યક્તિમાં ફલાવંચકયોગ કહેવાય છે.
પરમશ્રાવક પોતાની ભૂમિકા પ્રમાણે અતિચારરહિત શ્રાવકનાં બધાં વ્રતોનું અને ત્યારપછી પ્રતિમા આદિનું સમ્યગું પાલન કરતો હોય છે. પરમશ્રાવકના અપ્રત્યાખ્યાનીય કષાયો વિશેષરૂપે ઉપશમભાવને પામેલા હોય છે. આ જ કારણે પરમશ્રાવકને ભગવાનનો જે ઉપદેશ છે કે “અપ્રમાદભાવ કરવો” તે આ શ્રાવકમાં સમ્યગુ પરિણમન પામેલો હોય છે. ગુણવાનના ઉપદેશનું ફળ અપ્રમાદભાવ છે. આ અપ્રમાદભાવ પરમશ્રાવકમાં હોય છે. તેથી ભગવાનના યોગનું ફળ તેને અવંચક હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org