________________
0 પૂજાવિધિવિંશિકા D
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૬૨
तइया परतत्तगया सव्वुत्तमवत्थुमाणसनिओगा । सुद्धमणजोगसारा विनेया सव्वसिद्धिफला ॥५॥ तृतीया परतत्त्वगता सर्वोत्तमवस्तुमानसनियोगा । शुद्धमनोयोगसारा विज्ञेया सर्वसिद्धिफला ॥५।।
અન્વયાર્થ :
પરતત્તમાયા પરતત્ત્વગતા સવ્વરવિસ્થિમા/નિગ્રો સર્વ ઉત્તમ વસ્તુના વિષયમાં માનસનિયોગવાળી સુદ્ધમU/નોનસાર શુદ્ધ મનોયોગસારાસબ્યસદ્ધિના સર્વસિદ્ધિફલા નામની તથા ત્રીજા પૂજા વિન્નેય જાણવી.
ગાથાર્થ :
પરતત્ત્વગતા, સર્વ ઉત્તમ વસ્તુના વિષયમાં માનસનિયોગવાળી અને શુદ્ધ મનોયોગસારા સર્વસિદ્ધિફલા નામની ત્રીજી પૂજા જાણવી.
ભાવાર્થ -
ત્રીજી પૂજા પરતત્ત્વગત કહી છે. સંસારથી પર એવા સિદ્ધસ્વરૂપ સંબંધી આત્મગત ભક્તિના પ્રકર્ષથી મન દ્વારા પરમશ્રાવક આ ત્રીજી પૂજા કરે છે. તેને આ પૂજા માટે ઉત્તમ સામગ્રી તરીકે જગતમાં નંદનવનાદિમાં રહેલાં સહસ્ત્રકમળ આદિ દેખાય છે. તેથી વિધિપૂર્વક મન દ્વારા નંદનવનનાં સહસ્ત્રકમળાદિ ફૂલોની સામગ્રી લાવીને પરમાત્માની ભક્તિના અતિશયથી પૂજા કરે છે અને ત્યારે પરમાત્મભાવ સાથે એકચિત્ત હોવાને કારણે તે પૂજા સર્વસિદ્ધિરૂપ ફલને આપનારી છે, માટે તેનું નામ સર્વસિદ્ધિફલા છે.
આ પૂજામાં વીતરાગગત ન લેતાં પરતત્ત્વગત લેવાથી એ જણાય છે કે સંસારથી પર અવસ્થાને પામેલા પરમાત્મભાવ સાથે આ પૂજામાં અતિ તન્મયતા છે.ll૮-પી
અવતરણિકા :
ત્રણ પૂજાનું સ્વરૂપ બતાવ્યા પછી ત્રણે પૂજા કરનારાની ભૂમિકાના ભેદનું યોજન કરતાં કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org