________________
૧૬૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uપૂજાવિધિવિંશિકા / बीया उ सव्वमंगलनामा वायकिरियापहाणेसा । पुव्वुत्तविसयवत्थुसु ओचित्ताणयणभेएण ॥४॥ द्वितीया तु सर्वमङ्गलनामा वाक्क्रियाप्रधानैषा । पूर्वोक्तविषयवस्तुषु औचित्यानयनभेदेन 18ા.
અન્વયાર્થ
૩વળીપુબ્યુત્તવિવેવસ્થ,પૂર્વ શ્લોકમાં કહેવાયેલા પૂજાના વિષયરૂપ વીતરાગ અને પૂજાની સામગ્રીરૂપ વસ્તુના વિષયમાં વિત્તાય એUMI ઔચિત્યપૂર્વક આનયનભેદને કારણે બ્રહ્માનામાં સર્વમંગલા નામની વીિિરયાપહાઈસ વાક્રિયા પ્રધાન એવી આ વીયા દ્વિતીય પૂજા છે.
ગાથાર્થ :
વળી, ત્રીજી ગાથામાં કહેવાયેલા પૂજાના વિષયરૂપ વીતરાગ અને પૂજાની સામગ્રીરૂપ વસ્તુના વિષયમાં ઔચિત્યપૂર્વક આનયનના ભેદને કારણે સર્વમંગલા નામની વાક્રિયા પ્રધાન આ દ્વિતીય પૂજા છે.
ભાવાર્થ :
બીજી પૂજા ઉત્તરગુણધારી શ્રાવક કરી શકે છે. પ્રથમ પૂજામાં કાયાથી વિધિની પૂરેપૂરી જે શુદ્ધિ જાળવવામાં આવે છે તે તો આ પૂજામાં હોય જ છે, પરંતુ તે ઉપરાંત વાણી દ્વારા બીજા પાસે પણ વિધિપૂર્વક ઉત્તમ વસ્તુ મંગાવીને આ પૂજા કરાય છે, તેથી આ પૂજા વિશેષ ફળવાળી છે. વળી, આ પૂજા પણ સર્વગુણાધિક એવા વીતરાગ વિષયક જ હોય છે અને તેના માટે જરૂરી પૂજાની સામગ્રી ઔચિત્યપૂર્વક અને વિધિ સચવાય એ રીતે વાણી દ્વારા મંગાવાય છે. પૂજા માટે ઉત્તમ વસ્તુ મંગાવતી વખતે પણ આ પૂજા કરનાર શ્રાવકના ઉદારતા આદિ પરિણામો શક્તિને અનુરૂપ હોવાને કારણે, યતના માટેનો તેનો આગ્રહ અને વસ્તુ મંગાવતી વખતે પણ અનુપયોગી આરંભનું વર્જન થાય તેવો યત્ન હોવાથી તે કોઇની અપ્રીતિ આદિનું કારણ થતો નથી. આથી જ આ પૂજા પૂજકનું સર્વ પ્રકારે મંગલ કરનારી છે અને માટે તેનું નામ સર્વમંગલા છે.ll૮-૪ના
અવતરણિકા - ક્રમ પ્રાપ્ત હવે ત્રીજી પૂજાનું સ્વરૂપ બતાવે છે
V-૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org