SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપૂજાવિધિવિંશિકા વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૫૬ // પૂળાdfdf3@T #gf // અવતરણિકા - સાતમી વિંશિકામાં ત્રણ પ્રકારનાંદાનો બતાવ્યાં, તેમાં જ્ઞાનદાન અને અભયદાન જો કે સાધુને હોય છે તો પણ ધર્મોપગ્રહકરદાન અને અનુકંપાદાન શ્રાવકને પણ હોય છે તેમ ગાથા-૧૩ પછીની ગાથાઓમાં બતાવ્યું. શ્રાવકને મુખ્યરૂપે જેમ દાન કર્તવ્ય છે તેમ પૂજા પણ કર્તવ્ય છે, તેથી દાનવિંશિકા પછી પૂજાવિશિકા બતાવે છે पूया देवस्स दुहा विन्नेया दव्वभावभेएणं । इयरे यरजुत्ता वि हु तत्तेण पहाणगुणभावा ॥१॥ पूजा देवस्य द्विधा विज्ञे या द्रव्यभावभेदेन । इतरेतरयुक्तापि खलु तत्त्वेन प्रधानगुणभावात् ॥१॥ અન્વયાર્થ : - ફરેયરનુત્તા વિ (દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને) ઇતરેતરયુક્ત હોવા છતાં પણ પામવા પ્રધાન-ગૌણભાવ હોવાને કારણે સેવા પૂયાદેવની પૂજા તત્તે | પરમાર્થથી સુ ખરેખર વ્યંભાવમેઘ દ્રવ્ય અને ભાવના ભેદ વડે ટુ વિન્ને બે પ્રકારની જાણવી. ગાથાર્થ : દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને એકબીજાથી યુક્ત હોવા છતાં પણ પ્રધાનગૌણભાવ હોવાને કારણે દેવની પૂજા પરમાર્થથી ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદ વડે બે પ્રકારની જાણવી. છે. અહીં ‘પિ'થી એ કહેવું છે કે, જો દ્રવ્ય અને ભાવ ઇતરેતરયુક્ત ન હોય તો દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે ભેદ થઈ શકે, પરંતુ ભગવાનની દરેક પૂજા દ્રવ્ય અને ભાવ બંનેથી યુક્ત હોય છે, તેથી બે ભેદ ન થઈ શકે. આમ છતાં પણ શ્રાવકની પૂજામાં દ્રવ્ય પ્રધાન છે અને સાધુની પૂજામાં ભાવ પ્રધાન છે, તેથી પ્રધાન-ગૌણ ભાવને આશ્રયીને ઇતરેતરયુક્ત હોવા છતાં પણ પૂજાના બે ભેદ થઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy