________________
ઉપૂજાવિધિવિંશિકા
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૫૬
// પૂળાdfdf3@T #gf //
અવતરણિકા -
સાતમી વિંશિકામાં ત્રણ પ્રકારનાંદાનો બતાવ્યાં, તેમાં જ્ઞાનદાન અને અભયદાન જો કે સાધુને હોય છે તો પણ ધર્મોપગ્રહકરદાન અને અનુકંપાદાન શ્રાવકને પણ હોય છે તેમ ગાથા-૧૩ પછીની ગાથાઓમાં બતાવ્યું. શ્રાવકને મુખ્યરૂપે જેમ દાન કર્તવ્ય છે તેમ પૂજા પણ કર્તવ્ય છે, તેથી દાનવિંશિકા પછી પૂજાવિશિકા બતાવે છે
पूया देवस्स दुहा विन्नेया दव्वभावभेएणं । इयरे यरजुत्ता वि हु तत्तेण पहाणगुणभावा ॥१॥ पूजा देवस्य द्विधा विज्ञे या द्रव्यभावभेदेन । इतरेतरयुक्तापि खलु तत्त्वेन प्रधानगुणभावात् ॥१॥
અન્વયાર્થ : -
ફરેયરનુત્તા વિ (દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને) ઇતરેતરયુક્ત હોવા છતાં પણ
પામવા પ્રધાન-ગૌણભાવ હોવાને કારણે સેવા પૂયાદેવની પૂજા તત્તે | પરમાર્થથી સુ ખરેખર વ્યંભાવમેઘ દ્રવ્ય અને ભાવના ભેદ વડે ટુ વિન્ને બે પ્રકારની જાણવી.
ગાથાર્થ :
દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને એકબીજાથી યુક્ત હોવા છતાં પણ પ્રધાનગૌણભાવ હોવાને કારણે દેવની પૂજા પરમાર્થથી ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદ વડે બે પ્રકારની જાણવી.
છે. અહીં ‘પિ'થી એ કહેવું છે કે, જો દ્રવ્ય અને ભાવ ઇતરેતરયુક્ત ન હોય તો દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે ભેદ થઈ શકે, પરંતુ ભગવાનની દરેક પૂજા દ્રવ્ય અને ભાવ બંનેથી યુક્ત હોય છે, તેથી બે ભેદ ન થઈ શકે. આમ છતાં પણ શ્રાવકની પૂજામાં દ્રવ્ય પ્રધાન છે અને સાધુની પૂજામાં ભાવ પ્રધાન છે, તેથી પ્રધાન-ગૌણ ભાવને આશ્રયીને ઇતરેતરયુક્ત હોવા છતાં પણ પૂજાના બે ભેદ થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org