________________
૧૫૫
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
Uદાનવિશિકા /
જે મળેfમાં વિધ્યર્થ કૃદન્તના યોગમાં તૃતીયાનો પ્રયોગ છે.
ગાથાર્થ :
તે કારણથી શક્તિ અનુરૂપ અનુકંપાથી યુક્ત એવા ભવ્ય જીવે અનુકંપાદાન આચરવું જોઇએ. આનાથી જ શેષ ગુણોની સિદ્ધિ છે.
ભાવાર્થ :
ગાથા-૧૯માં કહ્યું કે ધર્મનું આદિપદ દાન છે. એનાથી એ પ્રાપ્ત થાય કે દાનથી જ ધર્મનો પ્રારંભ થઈ શકે. તે કારણથી અનુકંપાયુક્ત એવા ભવ્ય જીવે શક્તિને અનુરૂપ અનુકંપાદાન આચરવું જોઈએ, અર્થાત્ ગૃહસ્થ હોય તો પોતાની ભૂમિકા પ્રમાણે અને સાધુ હોય તો પોતાની ભૂમિકા પ્રમાણે જગતના જીવોની દ્રવ્ય અને ભાવઅનુકંપા કરવી જોઇએ અને પોતાની પણ ભાવદયા કરવી જોઇએ, કેમ કે જગત અંતર્વર્તી જીવોમાં સ્વનું પણ ગ્રહણ છે. જેના હૈયામાં પોતાની ભાવઅનુકંપા વર્તતી હોય તે જ ગુણોની નિષ્પત્તિ માટે પ્રયત્ન કરી શકે છે, અને આથી જ સાધુ હોય તો આત્મવંચના વગર ગુણવાનને પરતંત્ર રહી શકે છે અને પરતંત્ર રહીને શેષ ગુણોની નિષ્પત્તિ કરી શકે છે.ll૭-૨૦II
॥ इति सप्तमी दानविंशिका समाप्ता ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org