SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ Tદાનવિશિકા 0. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન (પરંતુ વિરતને તો દાન દેખાતું નથી, તો કેવું છે? તે બતાવતાં કહે છે-). નમો જે કારણથી નિયમ નિયમા ગુરુ ગુરુને નિવેય સ્વનિવેદના છે. ગાથાર્થ - જે કારણથી ધર્મનું આદિપદ દાન છે અને દાનના પર્વતમાં શીલ છે, તે કારણથી તે દાન વિરતને પણ છે. પરંતુ વિરતને તો દાન દેખાતું નથી, તો તે કેવું છે? તે બતાવતાં કહે છે, જે કારણથી વિરતને નિયમથી ગુરુને સ્વનિવેદના છે તે દાન સ્વરૂપ છે. ભાવાર્થ ધર્મનો પ્રારંભ દાનધર્મથી થાય છે, ત્યારપછી જ શીલધર્મ પ્રગટે છે. તેથી કરીને વિરતિ ગ્રહણ કરનાર પણ પોતાના આત્માની ભાવઅનુકંપા હોવાને કારણે અનુકંપાદાન કરે છે. આથી જ સ્વયં પોતાની જાતને રાગાદિથી બચાવવા અસમર્થ જીવો ગુણવાન ગુરુને નિયમથી સ્વજાતનું સમર્પણ કરે છે. આ સમર્પણ દ્વારા સર્વવિરતિધર આત્માઓ પોતાની ભાવઅનુકંપા કરે છે. અહીં વિશેષ એ છે કે સંયમધર્મનો પ્રારંભ પણ સ્વજાતના નિવેદનથી જ થાય છે, અને તે નિવેદન પોતાની ભાવઅનુકંપા સ્વરૂપ છે માટે જ તે દાનધર્મ છે; અને એથી જ ધર્મના આદિપદ તરીકે દાનને સ્વીકાર્યું છે. જે જીવ ગુણવાનને સમર્પિત હોય તેની જ સર્વ આચરણા શીલરૂપ બને છે, અને જે ગુણવાનને સમર્પિત નથી અને કદાચ યત્કિંચિત્ શીલની આચરણા કરતો પણ હોય, તો પણ તેની તે આચરણા શીલરૂપ ૯૬નથી, કેમ કે ધર્મનું આદિપદદાન છે તેથી દાન વગર શીલ પ્રગટ થઈ શકે નહીં.II ૧૯II तम्हा सत्तऽणुरूवं अणुकंपासंगएण भव्वेणं । अणुचिट्ठियव्वमेयं इत्तो च्चिय सेसगुणसिद्धी ॥२०॥ तस्माच्छक्त्यनुरूपमनुकम्पासंगतेन भव्येन । अनुष्ठातव्यमेतदित एव शेषगुणसिद्धिः ॥२०॥ અન્વયાર્થ: તપ્ત તે કારણથી સત્તળુરૂવં શક્તિ અનુરૂપ પાસંપાણUT અનુકંપાથી યુક્ત એવા મળેviભવ્ય જીવેરૂયંઆ અનુકંપાદાનમવિડ્રિયવ્યઆચરવું જોઇએ, રૂત્તો આનાથી વ્રિય જ સેલાસિદ્ધી શેષ ગુણોની સિદ્ધિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy