SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Uદાનવિંશિકા ૧૫૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે તે કારણથી આ પણ પ્રશસ્ત છે. પ્રશસ્ત કેમ છે? તેનું કારણ બતાવતાં કહે છે કે ગૃહસ્થ એવા તીર્થકર ભગવાન વડે પણ સ્વયં આશીર્ણ છે અને અગૃહસ્થ એવા પણ ભગવાને દ્વિજને દેવદૂષ્યના દાન દ્વારા આચરેલ ભાવાર્થ : અનુકંપાદાન પણ ધર્મોપગ્રહનો હેતુ છે, આથી કરીને જ પ્રશસ્ત છે, અર્થાત્ આપનારને માટે અત્યંત કર્તવ્ય છે. તીર્થકરે ગૃહસ્થ અવસ્થામાં દીક્ષા પૂર્વે મહાદાન આપ્યું, જેનાથી એ પ્રાપ્ત થાય કે ઉચિત કાળે કરેલું અનુકંપાદાન અવશ્ય યોગ્ય જીવોને બીજાધાનાદિનું કારણ બને. અહીં પ્રશ્ન થાય કે તો પછી તે અનુકંપાદાન ગૃહસ્થ અવસ્થામાં જ કરવું જોઈએ? તેથી સંયમ અવસ્થામાં પણ વિશેષ લાભને કારણે તે અનુકંપાદાન કર્તવ્ય છે એ બતાવવા અર્થે કહ્યું કે, સંયમજીવનમાં પણ દ્વિજના બોધિરક્ષણ અર્થે ભગવાને દેવદૂષ્યનું દાન આપ્યું, જે બ્રાહ્મણ માટે ધર્મોપગ્રહનો હેતુ બન્યું છે. Ile-૧૮II અવતરણિકા : ગાથા-૧૭માં અનુકંપાદાનનું સ્વરૂપ બતાવ્યું અને તેની પુષ્ટિ ભગવાનના દષ્ટાંતથી ગાથા-૧૮માં કરી અને અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે એમ ગાથા૧૭માં બતાવ્યું. હવે તે ભાવઅનુકંપા સંયતને પણ હોય છે, તે બતાવવા માટે કહે છે धम्मस्साइपयमिणं जम्हा सीलं इमस्स पज्जंते । तव्विरयस्सावि जओ नियमा सनिवेयणा गुरुणो ॥१९॥ धर्मस्यादिपदमिदं यस्माच्छीलमस्य पर्यन्ते । तद्विरतस्यापि यतो नियमात्स्वनिवेदना गुरोः ॥१९।। અન્વયાર્થ : ની જે કારણથી થમ્પસરૂપથમિ ધર્મનું આદિપદ આ=દાન છે (અને) રૂમ આના=દાનનાપન્નતે પર્યન્તમાં લીનં-શીલ છે(તે કારણથી) તબૈિરસ્તાવિ તે = દાન વિરતને પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy