________________
0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા :
અહીં કોઇને પ્રશ્ન થાય કે સર્વજ્ઞકથિત આગમો વિદ્યમાન હોવા છતાં પ્રસ્થ એવા ગ્રંથકારને આ નવો ગ્રંથ રચવાનું પ્રયોજન શું છે? વાસ્તવિક રીતે તો સર્વજ્ઞકથિત આગમો જ લોકને સમજાવવાં જોઇએ, તેના બદલે આ નવા ગ્રંથની રચના કરીને પોતાની અધિક મહત્તા સ્થાપન કરવા માટેનો જ શું આ યત્ન નથી? આવી શંકા સામે રાખીને ગાથા ૩ થી ૧૦માં પ્રાસંગિક કથનથી સમાધાન કરતાં કહે છે
सुंदरमिइ अन्नेहि वि भणियं च कयं च किंचि वत्थु ति । अन्नेहि वि भणियव्वं कायव्वं चेति मग्गोऽयं ॥३॥ सुन्दरमित्यन्यैरपि भणितं च कृतं च किंचिद्वस्त्विति । अन्यैरपि भणितव्यं कर्तव्यं चेति मार्गोऽयम् ॥३॥
અન્વયાર્થ :
સુંદરમિડ્ડસુંદર છે એથી કરીને બન્નેફિવિબીજાઓ (ગણધરો, પૂર્વના મહાપુરુષો આદિ) વડે પણ વિવિધું કંઇક વસ્તુ મળચં ચં ચં ચં કહેવાઈ છે અને કરાઇ છે, તિ એથી કરીને દિવિ (આપણા જેવા) બીજાઓ વડે પણ (તે) માયā ત્ર કહેવાવી જોઈએ અને કરાવવી જોઇએ તિ મોડ્યું એ પ્રકારનો આ માર્ગ છે.
ગાથાર્થ -
સુંદર છે એથી કરીને ગણધરો, પૂર્વના મહાપુરુષો આદિ વડે પણ કંઈક વસ્તુ કહેવાઈ છે અને કરાઈ છે; એથી કરીને આપણા જેવા બીજાઓ વડે પણ કહેવાવી જોઈએ અને કરાવવી જોઈએ, એ પ્રમાણેનો આ માર્ગ છે.
ભાવાર્થ -
પૂર્વના મહાપુરુષોએ જે કાંઈ સુંદર હોય તે, જગતમાં આગમો દ્વારા કે ગ્રંથ રચનાઓ દ્વારા કહેલ છે અને પોતાના જીવનમાં ઉચિત આચરણાઓ કરેલ છે; એ પ્રમાણે અન્ય એવા આપણા વડે પણ કહેવાવું જોઇએ અને કરાવવું જોઇએ, એવા પ્રકારનો ભગવાનનો આ માર્ગ છે.ll૧-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org