SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ Uદાનવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ પ્રકારનું દાન જ ઉત્તમ જાણવું. અહીં દષ્ટાંતનું યોજન આ પ્રમાણે છેરોગી=ભાવરોગી ગૃહસ્થ. અન્નકાળ-સંયમી મહાત્માનો લાભકાળ. પથ્ય આહાર=શ્રદ્ધા, સત્કારપૂર્વક સંયમની વૃદ્ધિનું કારણ થાય તેવો શુદ્ધ આહાર આપવો. પથ્ય આહારથી રોગીના રોગની અલ્પતા=શુદ્ધ દાનથી ભાવરોગી ગૃહસ્થના અસંયમના કારણભૂત રોગની અલ્પતા,ll૭-૧૪/૧૫ll અવતરણિકા : ધર્મોપગ્રહકરદાનના અધિકારીનું સ્વરૂપ બતાવે છે – गुरुणाऽणुन्नायभरो नाओवज्जियधणो य एयस्स । दाया अदुत्थपरियणवग्गो सम्मं दयालू य ॥१६॥ गुरुणाऽनुज्ञातभरो न्यायोपार्जितधनश्चैतस्य । दाता अदुःस्थपरिजनवर्गः सम्यग् दयालुश्च ॥१६।। અન્વયાર્થ - ગુરુએTTSUપુત્રાયમરી ગુરુ (કુટુંબના વડીલ) વડે અનુજ્ઞાત ભારવાળો નામોવન્શિયથળો ય અને ન્યાયોપાર્જિત ધનવાળો, મહુથપરિયUવો અદુઃસ્થ પરિજનવર્ગવાળો કાનૂય અને દયાળુ આનો સí સમ્યગુલાથીદાતા થાય. ગાથાર્થ : કુટુંબના વડીલ વડે અનુજ્ઞાત ભારવાળો અને ન્યાયોપાર્જિત ધનવાળો, અદુ:સ્થ પરિજનવર્ગવાળો અને દયાળુ ધર્મોપગ્રહકરદાનનો સમ્યગુ દાતા થાય. ભાવાર્થ : આ ગાથામાં બતાવેલ સુપાત્રદાનના અધિકારીનું સ્વરૂપ વ્યવહારનયથી છે. બાકી નિશ્ચયનયની દૃષ્ટિથી તો કુટુંબીવર્ગ ખરાબ સ્થિતિવાળો હોય અને ગુરુથી અનુજ્ઞાત ભારવાળો પણ ન હોય, પરંતુ પોતાની પાસે આવેલા કોઈ મહાત્માને દાનની બુદ્ધિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy