________________
૧૪૮
Uદાનવિંશિકા | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ -
આ પ્રકારે સંસારમાં અભયદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ જ છે. એથી કરીને વળી નિયમથી અભયદાનનો પણ દાતા ઐશ્વર્યવાળો હોવો જોઇએ, અર્થાત્ સમભાવમાં દરિદ્ર જીવ અભયદાન ન આપી શકે.
ભાવાર્થ
સંસારમાં અનેક પ્રકારનાં દાનો હોય છે, પણ આ પ્રકારે અર્થાત ગાથા-૧૦માં બતાવ્યું. એ રીતે અભયદાન દેનાર જીવની કોઇ પણ પ્રવૃત્તિથી જગતના જીવમાત્રને આલોક કે પરલોકમાં ક્યારે પણ ભય પેદા થતો નથી, તેથી સર્વદાનોમાં આ અભયદાન જ શ્રેષ્ઠ છે.બીજાં દાનોમાં અનુકંપાદિ દાનો તો કોઈક જીવને યત્કિંચિત્ સુખનું કારણ થાય છે, અને ધર્મોપગ્રહકરદાન પણ સંયમની રક્ષા કે વૃદ્ધિ માટે આવશ્યક એવી ઉપધિનું કારણ બને છે, જ્યારે આ અભયદાન તો જગતના તમામ જીવોને સર્વથા ભયરહિત કરવાનું કારણ બને છે. એથી જ અભયદાન, દાતા માટે પણ પરમ અભયપદની પ્રાપ્તિનું કારણ બને છે.
સર્વ દાનોમાં શ્રેષ્ઠ અભયદાન છે, આથી જ ભાવથી ઐશ્વર્યવાળો જીવ જ અભયદાન કરી શકે છે, અન્ય નહીં. અને એટલે જ ગાથા- ૭માં કહેલ કે સમભાવમાં દરિદ્ર હોય તે જીવ અભયદાન ન કરી શકે.ll-૧૩
અવતરણિકા -
ગાથા-૧માં ત્રણ પ્રકારનાં દાનો બતાવ્યાં. ત્યારપછી જ્ઞાનદાન અને અભયદાન બતાવ્યા પછી હવે ધર્મોપગ્રહકરદાન બતાવે છે –
इय धम्मुवग्गहकरं दाणं असणाइगोयरं तं च । पत्थमिव अन्नकाले य रोगिणो उत्तमं नेयं ॥१४॥ एतद् धर्मो पग्रहकरं दानमशनादिगोचरं तच्च । पथ्यमिवान्नकाले च रोगिण उत्तमं ज्ञेयम् ॥१४।। सद्धासक्कारजुयं सकमेण तहोचियम्मि कालम्मि । अन्नाणुवघाएणं वयणा एवं सुपरिसुद्धं ॥१५॥ श्रद्धासत्कारयुतं सक्रमेण तथोचिते काले । अन्यानुपघातेन वचनादेवं सुपरिशुद्धम् ॥१५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org