________________
૧૪૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
ઇ દાનવિંશિકા ઇ
વિરતિની ક્રિયા વડે કરીને તે જગતના જીવોને અભયદાન આપે છે; અને જ્યારે ગુરુકુલવાસના બળથી તે ગીતાર્થ બને છે ત્યારે, તે ક્ષમા અને વિરતિની ક્રિયા વડે કરીને જગતના જીવોને જ્ઞાનદાન અને અભયદાન બન્ને આપે છે.
ગીતાર્થ થયા પછી પણ જો તેનામાં ક્ષાંતિ અને વિરતિની ક્રિયા ન હોય તો, તે જગતને ઉપદેશ આપતો હોય તેથી, અને સંયમની પ્રતિજ્ઞા લીધેલી હોય તેથી, સ્થૂલ બુદ્ધિથી કહેવાય કે તે જગતના જીવોને જ્ઞાનદાન અને અભયદાન આપે છે; પરંતુ ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા ભાવથી દરિદ્ર હોવાને કારણે, જેમ કોઈ દરિદ્ર પાસે યાચના કરે તો દરિદ્ર આપવાની ના પાડે, અર્થાત્ મારી પાસે કાંઈ નથી તેથી હું કંઈ આપી શકું એમ નથી તેમ કહે; તેની જેમ, આ ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો જ્ઞાન અને અભયનો દાતા, લેનારને કહે છે કે પોતાની પાસે જ સમતાનો પરિણામ નથી તેથી તે કંઈ આપી શકે તેમ નથી. અર્થાત્ તે કોઇને જ્ઞાનદાન કે અભયદાન કરતો નથી પરંતુ ઉપદેશનાં વચનોમાત્ર બોલે છે અને છકાયના પાલનની પ્રતિજ્ઞામાત્ર કરે 9.119-9211
અવતરણિકા :
ગાથા-૬ થી માંડીને ગાથા-૧૨ સુધી અભયદાનનું નિરૂપણ કર્યું અને ગાથા૧૧ અને ગાથા-૧૨માં અભયદાનવાળા સાથે જ્ઞાનદાનવાળાનો પણ સંબંધ હોવાથી તે બેનું યોજન કર્યું, હવે અભયદાનનું નિગમન કરતાં કહે છે
एवमिहेयं पवरं सव्वेसिं चेव होइ दाणाणं । इत्तो उ निओगेणं एयस्स वि ईसरो दाया ॥१३॥ एवमिहैतत्प्रवरं सर्वेषामेव भवति दानानाम् नियोगेन एतस्यापीश्वरो
इतस्तु
दाता ॥૧૩॥
અન્વયાર્થ :
અહીં=સંસારમાં ફ્થ
વમ્ આ પ્રકારે આ=અભયદાન સવ્વુત્તિ સર્વ વાળાં દાનોમાં પવનં ચેવ ોરૂ શ્રેષ્ઠ જ છે. ો એથી કરીને ૩ વળી નિઓમેળ નિયોગથી ચરૂ વિ આનો=અભયદાનનો પણ વાયા દાતા સો ઐશ્ચર્યવાળો હોવો જોઈએ, અર્થાત્ સમભાવમાં દરિદ્ર જીવ અભયદાન ન આપી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org