________________
૧૪૬
0 દાનવિંશિકા 0 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન જ વિશ્રાન્ત પામે છે. અને તેથી જ તેઓ અભયદાનના ઉપદેશકો કહેવાય છે. આવા અભયદાનના ઉપદેશકમાં પણ ગાથા-૧૦માં બતાવેલ ઉચિત પ્રવૃત્તિ હોય તો જ તે અભયદાન આપી શકે, અને તેવી પ્રવૃત્તિ ન હોય તો તે ઉપદેશક પ્રતિજ્ઞા કરીને જગતના જીવોને અભયદાન આપી તો શકે, પણ ત્યારપછી તે જીવો પાસેથી અભયદાન ઝૂંટવી લેવા જેવી તેની પ્રવૃત્તિ થાય છે.ll-૧૧
અવતરણિકા:
ગાથા-૧૧માં બતાવ્યું કે ઉપદેશક એવો પણ અભયદાનનો દાતા કેવો જોઈએ, તે જ વાતને દઢ કરવા માટે બતાવે છે કે, કેવા પ્રકારની ક્રિયાથી તે ઉપદેશક જગતના જીવોને જ્ઞાન અને દયાનું દાન કરે છે, અર્થાત્ જ્ઞાનદાન અને અભયદાન કરે છે, તે બતાવે છે
नाणदयाणं खंतीविरईकिरियाइ तं तओ देइ । अन्नो दरिद्दपडिसेहवयणतुल्लो भवे दाया ॥१२॥ ज्ञानदययोः शान्तिविरतिक्रियया तं तको ददाति । अन्यो दरिद्रप्रतिषेधवचनतुल्यो भवेदाता ॥१२।।
અન્વયાર્થ
વંતીવિરવિરિયારૂ ક્ષમા અને વિરતિની ક્રિયાવડે તો તે જ્ઞાન અને અભયનો દાતા તે તેનેકલેનારને નાખવા જ્ઞાન અને દયા રે આપે છે (જ્યારે) મન્નો અન્ય ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા રિડિસેવિયાતો દરિદ્રના પ્રતિષેધવચનતુલ્ય વચનવાળો હાથ દાતા ભવે છે.
ગાથાર્થ -
ક્ષમા અને વિરતિની ક્રિયા વડે તે જ્ઞાન અને અભયનો દાતા, લેનારને જ્ઞાન અને દયા આપે છે. જયારે અન્ય ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા, દરિદ્રના પ્રતિષેધવચનતુલ્ય વચનવાળો દાતા થાય છે.
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી જયાં સુધી મુનિ ગીતાર્થ ન થાય ત્યાં સુધી, ક્ષમા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org