SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 દાનવિંશિકા / અન્વયાર્થ - નડ્ડાને કારણથીયં આ=પરમ અભયદાન ૩ત્તમFઉત્તમ છે તહાંતે કારણથી નાગુત્તમો અનુત્તમ વ્યક્તિ આને કાર્ડ આપવા માટે મનુપાતિસંવ અથવા અનુપાલન કરવા માટે તરફ સમર્થ નથી. સમવિલારિટ્ટે સમભાવનું દરિદ્રપણું હોતે છતે વિન્ન પિ અપાયેલા પણ અભયદાનને દંતિ હણે છે. ગાથાર્થ - જે કારણથી અભયદાન ઉત્તમ છે તે કારણથી અનુત્તમ વ્યક્તિઓ આ અભયદાન આપવા માટે અથવા અનુપાલન કરવા માટે સમર્થ નથી. સમભાવનું દારિય હોતે છતે અપાયેલા પણ અભયદાનને હણે છે. ભાવાર્થ : શ્રેષ્ઠ કોટીનું અભયદાન એ અતિ ઉત્તમ પ્રકારનો જીવનો ગુણ છે. તેથી જે જીવમાં ઉત્તમપણું પ્રગટ્યું ન હોય તે જીવ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરવા માટે અધિકારી નથી. શાસ્ત્રમાં સંયમના અધિકારીના જે ૧૬ વિશેષ ગુણો કહેલા છે, તે ગુણો દ્વારા જીવમાં સંયમજીવન માટે યોગ્ય એવા ઉત્તમપણાનો નિર્ણય કરી શકાય છે, અને તેવા ગુણો જેનામાં નથી એવો જીવ સંયમ ગ્રહણ કરતાં જયારે જાવજીવનું સામાયિક ઉચ્ચરે છે, ત્યારે તેણે સર્વ જીવોને અભયદાન આપેલું છે તેમ કહેવાય તો છે, પરંતુ આમ છતાં અભયદાન આપ્યા પછી ગુણરહિત જીવ તેનું પાલન કરી શકતો નથી. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે જગતના તમામ જીવોને આત્મતુલ્ય જોવાના પરિણામરૂપ સમભાવ જેને પ્રગટ્યો નથી તેવો સમભાવમાં દરિદ્ર જીવ, સર્વ જીવોને અભયદાન આપવાની જયારે પ્રતિજ્ઞા કરે છે ત્યારે, તેણે સર્વજીવોને અભયદાન આપ્યું તો પણ, તે ગ્રહણ કરેલ અભયદાનની પ્રતિજ્ઞાને પાળતો નથી; તેથી પ્રતિજ્ઞા દ્વારા અપાયેલા પણ અભયદાનને હણે છે. અર્થાત્ જે જીવોને તેણે અભયદાન આપ્યું છે તેને જ તે હણે છે.lle-sai અવતરણિકા : ગાથા-૭માં કહ્યું કે ઉત્તમ જીવ જ ઉત્તમ એવા અભયદાન આપી શકે છે. તેથી તે ઉત્તમ જીવનું સ્વરૂપ બતાવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy