________________
0 દાનવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૪૦ ગાથાર્થ :
મન-વચન અને કાયાના યોગો વડે સર્વજીવોનું સર્વ પ્રકારે અને સમ્યમ્ અભયકરણ શ્રેષ્ઠ એવું અભયદાન જાણવું.
ભાવાર્થ :
શ્રેષ્ઠ અભયદાન મુનિ જ આપી શકે છે, જ્યારે દેશવિરતિધર શ્રાવક હોય તો દેશથી અભયદાન આપે છે, તેથી શ્રાવકના અભયદાનની વ્યાવૃત્તિ માટે પરમ અભયદાન કહેલું છે. મુનિ, ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવતો હોય ત્યારે જ સર્વ પ્રકારે સમ્યગુ અભયદાન આપી શકે છે. અહીં “સર્વ પ્રકારે થી એ કહેવું છે કે કોઈ જીવને પીડા ઉત્પન્ન કરવી, પ્રાણ નાશ કરવો કે કષાયોનો ઉદ્રક કરવો તે સ્વરૂપહિંસા સ્વયં કરે નહીં, કરાવે નહીં અને કરનારની અનુમોદના કરે નહીં, ત્યારે જ સર્વ પ્રકારે સમ્ય અભયદાન સંભવે.
આ રીતે સર્વથા અભયદાન આપનારની પણ અનાભોગ અને સહસાત્કારથી કોઈ માનસિક-વાચિક કે કાયિક ક્રિયામાં સ્કુલના થાય, તો તે અભયદાન સર્વ પ્રકારે હોવા છતાં સમ્યગુ નથી, અર્થાત્ મૂળગુણમાં સ્થિર પરિણામ હોય અને અનાભોગાદિથી સ્મલના થતી હોય તો સર્વથા અભયદાન હોવા છતાં સમ્યગ અભયદાન નથી.
વળી શ્રાવક કે દેશવિરતિધરને જે અંશે તેઓએ વ્રત સ્વીકાર્યા હોય તેટલા અંશમાં દેશથી અભયદાન હોય, અને જો તેઓ તે વ્રતોનું પાલન નિરતિચારપૂર્વક કરતા હોય તો તે અભયદાનનું પાલન દેશથી સમ્યગુ કહેવાય અને જો તે પાલન સાતિચાર હોય તો દેશથી કહેવાય, પણ સમ્યગુ ન કહેવાય.
વળી જેનું સંયમયોગમાં ઉત્થિત માનસ ન હોય અને તેથી જ સાધ્વાચારનું પાલન સામાન્યથી કરતો હોય, તો તેનું પણ તે પરમ અભયદાન નથી.IS-૬ll
અવતરણિકા :
ગાથા-૬માં પરમ અભયદાનનું સ્વરૂપ બતાવ્યું. હવે તેનો અધિકારી કોણ છે, તે બતાવે છે
उत्तममेयं जम्हा तम्हा णाणुत्तमो तरइ दाउं । अणुपालिउं व, दिन्नं पि हंति समभावदारिद्दे ॥७॥ उत्तममेतद्यस्मात्तस्मानानुत्तमः शक्नोति दातुम् । अनुपालयितुं वा दत्तमपि हन्ति समभावदारिद्ये ॥७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org