SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D દાનવિંશિકા ! ગાથાના ઉત્તરાર્ધમાં અવિનીતને ઉપદેશ આપવાથી ક્લેશ પ્રાપ્ત થાય છે તે વાત દષ્ટાંતથી બતાવે છે કે, જેમ બરડ લોઢાને જાણીને કોઈ કડુ બનાવવામાં પ્રયત્ન કરે, તો કડુ તો બને નહીં પરંતુ કરનારને ક્લેશ પ્રાપ્ત થાય છે, તેમ અવિનીતને ઉપદેશ આપતાં તેનામાં તો શાસ્ત્રવચન પરિણમન પામતાં નથી પણ ઉપદેશક પોતે જ ક્લેશ પામે છે. અહીં વિશેષ એ છે કે ગાથા-૩માં જ્ઞાનને ગ્રહણ કરવાનો અધિકારી શુશ્રુષાગુણવાળો બતાવ્યો અને અહીં વિનીત બતાવ્યો, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને તત્ત્વ સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, પણ પ્રકૃતિથી વિનીત ન હોય તો શાસ્ત્રવચન તેનામાં પરિણમન પામતાં નથી, કેવળ શબ્દમાત્રનો બોધ થાય છે. વળી બીજો કોઈક જીવ પ્રકૃતિથી વિનીત હોય, પણ તેનામાં શુશ્રુષાગુણ ન હોય તો સાંભળવામાત્રનો તેનો યત્ન હોય છે, પરંતુ તત્ત્વને અભિમુખભાવ તેને હોતો નથી, તેથી તેને પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. આથી જ સામાન્યથી વિનીત અને શુશ્રુષાગુણથી યુક્ત હોય તેને જ ઉપદેશ આપવા માટે યત્ન કરવાનો હોય છે. ક્વચિત્ ભાવિના લાભને સામે રાખીને અને કોઈ જીવવિશેષને સામે રાખીને અવિનીતમાં કરાયેલો યત્ન, ભાવિમાં તેને વિનયસંપન્ન બનાવીને લાભનું કારણ બની શકે અને ક્વચિત્ શુશ્રુષાગુણરહિત જીવ આક્ષિપ્ત બનીને શુશ્રુષાગુણવાળો બનીને હિત સાધી શકે, તેથી તે અપવાદિક પ્રવૃત્તિ હોઈ શકે. આનાથી એ ફલિત થાય છે કે ઉત્સર્ગથી તો વિનીત અને શુશ્રુષાગુણવાળો જ જ્ઞાન ગ્રહણ કરવા માટે અધિકારી છે, અને અપવાદથી અવિનીત અને શુશ્રુષાગુણ વગરના તે ગુણોની પ્રાપ્તિ માટે યોગ્ય હોય તો અધિકારી બને.II-પા અવતરણિકા : જ્ઞાનદાનનું વર્ણન પૂરું કર્યા પછી હવે અભયદાનનું સ્વરૂપ બતાવે છેविनेयमभयदाणं परमं मणवयणकायजोगेहिं । जीवाणमभयकरणं सव्वेसिं सव्वहा सम्मं ॥६॥ विज्ञेयमभयदानं परमं मनोवचनकाययोगैः । जीवानामभयकरणं सर्वेषां सर्वथां सम्यक् ॥६।। અન્વયાર્ચ - મUવિવિયનોર્દિ મન-વચન અને કાયાના યોગો વડે સન્વેસિં સર્વ નવાઈમ્ જીવોનું સત્ર સર્વ પ્રકારે સE (અને) સમ્યમ્ અમરઘાં અભયકરણ પરમં શ્રેષ્ઠ એવું અમલાઈ અભયદાન વિન્નેયમ્ જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy