________________
૧૩૭
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
Uદાનવિશિકા 0
અવતરણિકા :
ગાથા-રમાં જ્ઞાનદાનનો આપનાર કેવો હોવો જોઈએ તે બતાવ્યું. ગાથા-૩માં જ્ઞાનદાનને ગ્રહણ કરનાર કેવો જોઈએ તે બતાવ્યું. હવે તે જ્ઞાનદાન યોગ્યને પણ કેવી રીતે આપવું જોઈએ તે બતાવે છે
ओहेण वि उवएसो आयरिएणं विभागसो देओ । सामाइधम्मजणओ महुरगिराए विणीयस्स ॥४॥ ओघेनाप्युपदेश आचार्येण विभागशो देयः । सामादिधर्मजनको मधुरगिरा विनीतस्य ॥४॥
અન્વયાર્થ:
સાયરિ આચાર્યવડે સામારૂધ્યમનો સામાયિકાદિ ધર્મજનક સવાલો ઉપદેશ મોદે વિ સામાન્યથી પણ વિયસ વિનીતને મારગિરા મધુર વાણી દ્વારા વિમાન વિભાગથી રેમો આપવો જોઈએ.
ગાથાર્થ :
આચાર્ય વડે સામાયિકાદિ ધર્મજનક ઉપદેશ સામાન્યથી પણ વિનીતને મધુરવાણી દ્વારા વિભાગથી આપવો જોઇએ.
ભાવાર્થ :
ઉપદેશકે બાળ, મધ્યમ અને મનીષિ શ્રોતાના વિભાગને આશ્રયીને ઉપદેશ આપવાનો છે. પ્રથમ સામાન્યથી ઉપદેશ આપવાનો હોય ત્યારે પણ બાળાદિ વિભાગને સામે રાખીને આપવાનો છે અને જ્યારે શ્રોતા તત્ત્વ જાણવા માટે વિશેષ આક્ષિત બને ત્યારે વિશેષ ઉપદેશ પણ બાળાદિના વિભાગથી જ આપવાનો છે. વિભાગ પાડીને પણ વિનયસંપન્નને જ, મધુરવાણી દ્વારા, સામાયિકાદિ ધર્મને પેદા કરે તેવો જ ઉપદેશ આપવાનો છે, કે જેથી શ્રોતા વિશેષ ઉત્સાહિત બનીને સાંભળવા તત્પર બને. ક્વચિત પ્રારંભિક ભૂમિકામાં સંસારની નિર્ગુણતા બતાવનાર ઉપદેશ પણ ક્રમે કરીને સામાયિકાદિ ધર્મ પેદા કરાવનાર બને તેવો જ આપવાનો છે.ll-૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org