SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ દાનવિંશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩૬ અન્ય વચન સાથે પણ પોતાનાં વચનો વિરુદ્ધ ન થાય. વિશુદ્ધવચનવાળો કહેવાથી જ રાગ-દ્વેષને વશ થઇને પણ શાસ્ત્રવચનને બાધ આવે તેવું ન કહેનાર હોવો જોઇએ, તેમ ઘોતિત થાય છે.II૭-૨|| અવતરણિકા : જ્ઞાન આપનાર અધિકારીનું સ્વરૂપ બતાવ્યું. હવે જ્ઞાન લેવાના અધિકારીનું સ્વરૂપ બતાવે છે सुस्सूसासंजुत्तो विन्नेओ गाहगो वि एयस्स । न सिराऽभावे खणणाउ चेव कूवे जलं होई ॥३॥ शुश्रूषासंयुक्तो विज्ञेयो ग्राहकोऽप्येतस्य 1 सिराभावे खननादेव कूपे जलं भवति ॥३॥ न અન્વયાર્થ : UK આનો—જ્ઞાનદાનનો હો વિ ગ્રાહક પણ સુસાનંનુત્તો શુશ્રૂષાથી યુક્ત વિન્નેએ જાણવો. (જેમ) સિઽમાવે સિરાના=સે૨ના અભાવમાં સ્વળાાડ જેવ (માત્ર) ખોદવાથી જ વે કૂવામાં નાં જળ ન દ્દોફ્ થતું નથી. ગાથાર્થ ઃ જ્ઞાનદાનનો ગ્રાહક પણ શુશ્રૂષાથી યુક્ત જાણવો. જેમ સિરાના અભાવમાં માત્ર ખોદવાથી જળ થતું નથી. ભાવાર્થ: ન જ્ઞાનદાનને ગ્રહણ કરવા માટે જે અધિકારી હોય તે પણ તત્ત્વને જાણવાની તીવ્ર જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલ શુશ્રુષા ગુણવાળો જાણવો. તે જ વાતને દષ્ટાંતથી ભાવન કરે છે કે, જેમ જમીનમાં સિરાઓ ન હોય તો કૂવાના ખોદવાથી કૂવામાં પાણી થતું નથી, તેમ અહીં કૂવો ખોદવાની ક્રિયાના સ્થાને સાંભળવાની ક્રિયા છે અને સિરાના સ્થાને શુશ્રુષા ગુણ છે, તેથી શુશ્રુષા હોય તો જ તત્ત્વપ્રાપ્તિરૂપ જળની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનદાનનો ગ્રાહક શુશ્રૂષાયુક્ત હોવો જોઈએ, અન્ય નહીં.II9-3II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy