________________
ઇ દાનવિંશિકા ઇ
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૩૬
અન્ય વચન સાથે પણ પોતાનાં વચનો વિરુદ્ધ ન થાય. વિશુદ્ધવચનવાળો કહેવાથી જ રાગ-દ્વેષને વશ થઇને પણ શાસ્ત્રવચનને બાધ આવે તેવું ન કહેનાર હોવો જોઇએ, તેમ ઘોતિત થાય છે.II૭-૨||
અવતરણિકા :
જ્ઞાન આપનાર અધિકારીનું સ્વરૂપ બતાવ્યું. હવે જ્ઞાન લેવાના અધિકારીનું સ્વરૂપ બતાવે છે
सुस्सूसासंजुत्तो विन्नेओ गाहगो वि एयस्स । न सिराऽभावे खणणाउ चेव कूवे जलं होई ॥३॥ शुश्रूषासंयुक्तो विज्ञेयो ग्राहकोऽप्येतस्य
1
सिराभावे खननादेव कूपे जलं भवति ॥३॥
न
અન્વયાર્થ :
UK આનો—જ્ઞાનદાનનો હો વિ ગ્રાહક પણ સુસાનંનુત્તો શુશ્રૂષાથી યુક્ત વિન્નેએ જાણવો. (જેમ) સિઽમાવે સિરાના=સે૨ના અભાવમાં સ્વળાાડ જેવ (માત્ર) ખોદવાથી જ વે કૂવામાં નાં જળ ન દ્દોફ્ થતું નથી.
ગાથાર્થ ઃ
જ્ઞાનદાનનો ગ્રાહક પણ શુશ્રૂષાથી યુક્ત જાણવો. જેમ સિરાના અભાવમાં માત્ર ખોદવાથી જળ થતું નથી.
ભાવાર્થ:
ન
જ્ઞાનદાનને ગ્રહણ કરવા માટે જે અધિકારી હોય તે પણ તત્ત્વને જાણવાની તીવ્ર જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલ શુશ્રુષા ગુણવાળો જાણવો. તે જ વાતને દષ્ટાંતથી ભાવન કરે છે કે, જેમ જમીનમાં સિરાઓ ન હોય તો કૂવાના ખોદવાથી કૂવામાં પાણી થતું નથી, તેમ અહીં કૂવો ખોદવાની ક્રિયાના સ્થાને સાંભળવાની ક્રિયા છે અને સિરાના સ્થાને શુશ્રુષા ગુણ છે, તેથી શુશ્રુષા હોય તો જ તત્ત્વપ્રાપ્તિરૂપ જળની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનદાનનો ગ્રાહક શુશ્રૂષાયુક્ત હોવો જોઈએ, અન્ય નહીં.II9-3II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org