________________
પ્રવેશક
૯. પ્રેષણત્યાગ પ્રતિમા ૧૦. ઉદિત્યાગ પ્રતિમા ૧૧. શ્રમણભૂત પ્રતિમા
આ અગિયાર પ્રતિમાઓ વિશેષ પ્રકારના અપ્રમાદભાવપૂર્વક શ્રાવક સેવે છે અને કોઈકને અંતે સર્વવિરતિનો પરિણામ થાય છે તો સર્વવિરતિ ગ્રહણ કરે છે અને કોઇકને શક્તિ સંચિત ન થાય તો ફરીથી પ્રતિમાનું વહન કરે છે અને વળી કોઇક શ્રાવકને ફરી-ફરી પ્રતિમા કરવી દુષ્કર જણાય તો શ્રાવકનાં વ્રતોમાં જયત્નવાળો રહે છે. અને આ રીતે ભાવપૂર્વક પ્રતિમાઓના સેવનથી કોઇકને આ ભવમાં જ સર્વવિરતિ મળે છે, કોઇને ચારિત્રમોહનીય ગાઢ હોય તો જન્માંતરમાં સર્વવિરતિ સુલભ બને છે.
આ પહેલા ભાગમાં દસ વિશિકાઓ આપી છે અને બીજા ભાગમાં બાકીની દસ વિશિકાઓ કહેવાશે. આ વીસે વિશિકાનો સંક્ષેપ સાર પણ કોઈ વિચારક વ્યક્તિ સાવધાનીપૂર્વક વાંચે તો આ ગ્રંથમાં શું પદાર્થો બતાવ્યાં છે તે જાણવાની અવશ્ય જિજ્ઞાસા થાય. તે જિજ્ઞાસાથી જ જો સમ્ય યત્ન કરે તો તેને પણ સંસારમાં અવશ્ય ધર્મની આવશ્યકતા જણાય. કેમ કે પોતે શાશ્વત છે તે નિર્ણય થાય તો શાશ્વત એવા પોતાના આત્માના હિતની તે ઉપેક્ષા ન કરી શકે.
આ ગ્રંથ સારી રીતે વાંચવાથી એ પણ જિજ્ઞાસા થાય કે શુદ્ધધર્મ ચરમાવર્તમાં જ પ્રગટે છે, તો હું ચરમાવર્તિમાં છું કે નહીં? અને ભગવાનનું શાસન કહે છે કે “હું ભવ્ય છું કે નહીં?” એવો પ્રશ્ન જેને થાય તે નિયમા ભવ્ય જ હોય છે. આ પ્રશ્નનું હાર્દ એ છે કે પરમસુખમય મોક્ષ છે અને તેને ભવ્ય જીવ જ પ્રાપ્ત કરે છે, એવું સાંભળીને તેને પણ સર્વ ક્લેશરહિત એવા મોક્ષની ઇચ્છાથી જો તે શંકા થઈ હોય, તો તે અવશ્ય મોક્ષમાં જવા માટે યોગ્ય જ છે, અને તેવો જીવ અવશ્ય ચરમાવર્તમાં જ હોય. આવો પણ જીવ જો પ્રમાદથી ધર્મમાં યત્ન ન કરે તો અનંતકાળ સંસારમાં કાઢી શકે એવું વચન પ્રસ્તુત વિંશિકામાં છે. અને જો સમ્યગુ યત્ન કરે અને અપ્રમાદભાવથી ધર્મના અંત સુધી વળગી રહે તો થોડા ભાવમાં પણ સંસારના પારને પામે. સંસારનો પાર પરમસુખમય એવી મોક્ષઅવસ્થા છે. તેથી યોગ્ય જીવને આ વિશિકાનું વાંચન સમ્યગૂ પ્રયત્ન કરાવવામાં અનન્ય ઉપાયભૂત છે.
આ ગ્રંથ આત્મકલ્યાણનું કારણ બને એ જ એક અભિલાષા...
લિ. પ્રવિણભાઈ ખીમજી મોતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org