________________
Uદાનવિશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૩૪
॥ दानविंशिका सप्तमी।।
અવતરણિકા :
છઠ્ઠી સદ્ધર્મવિંશિકાની વીશમી ગાથામાં બતાવ્યું છે કે સમ્યત્વથી જ દાનાદિક્રિયાઓ શુદ્ધ થાય છે. તેથી હવે સૌ પ્રથમ દાનના ભેદો બતાવે છે
दाणं च होइ तिविहं नाणाभयधम्मुवग्गहकरं च । इत्थ पढमं पसत्थं विहिणा जुग्गाण धम्मम्मि ॥१॥ दानं च भवति त्रिविधं ज्ञानाभयधर्मोपग्रहकरं च । अत्र प्रथमं प्रशस्तं विधिना योग्यानां धर्मे ॥१॥
અન્વયાર્થ:
અને નામધમુવા જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મોપગ્રહકરદાન એમ તિવિદં ત્રણ પ્રકારનું તાપમાં દાન દોરું છે ર અને સ્થ અહીં–ત્રણ પ્રકારના દાનમાં વિદિUTI વિધિથી, ગુIII યોગ્યને થમ િધર્મવિષયક પઢમં પ્રથમ દાનજ્ઞાનદાન(આપવું તે) પલ્થ પ્રશસ્ત છે.
ગાથાર્થ -
જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન એમ ત્રણ પ્રકારનાં દાન છે અને ત્રણ પ્રકારના દાનમાં, યોગ્યને ધર્મવિષયક પ્રથમ જ્ઞાનદાન વિધિથી આપવું તે પ્રશસ્ત
ભાવાર્થ :
શાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન એ પ્રકારનો ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ કરેલ છે, તેથી સર્વશ્રેષ્ઠ દાન એ જ્ઞાનદાન છે. ત્યારપછી અભયદાન છે, જે છ કાયના પાલનથી મુનિઓ કરે છે અને ત્રીજુ સંયમમાં ઉપકારી જે દાન છે તે ધર્મોપગ્રહકરદાન છે. અને ધર્મોપગ્રહકરદાનમાં જ સુપાત્રદાન અને અનુકંપાદાનનો સંગ્રહ કર્યો છે, કેમ કે અનુકંપાદાન પણ જીવોને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે જ ઇષ્ટ છે, અને આથી જ દાનબત્રીસીમાં અનુકંપાદાન તેને જ સ્વીકારેલ છે જે બીજાધાનનું કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org